કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ભાજપના નેતાઓ સતત રાજ્યની મુલાકાત લઈ રહ્યા છે. તે જ સમયે, હવે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કર્ણાટકના પ્રવાસે છે. અમિત શાહે રાજધાની બેંગલુરુમાં દક્ષિણના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે ડ્રગ હેરફેર અને રાષ્ટ્રીય સુરક્ષા પર પ્રાદેશિક પરિષદમાં ભાગ લીધો. આ સિવાય અમિત શાહ બેંગલુરુના કોમાઘટ્ટા ગામમાં સહકાર સમૃદ્ધિ સૌધાનો શિલાન્યાસ કર્યો. તેઓ રાજ્યના સહકારી મંત્રાલયના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કર્યુ.
અમિત શાહે કહ્યું કે, “…12 લાખ કરોડના કૌભાંડો કરનારી કોંગ્રેસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સ્પર્ધા કરી રહી છે. દેશની જનતા સમક્ષ સ્પષ્ટ પસંદગી છે. એક તરફ નરેન્દ્ર મોદી, જેમણે 23 વર્ષ સુધી શાસન કર્યું. 1 પણ પૈસાના ભ્રષ્ટાચાર વિના વર્ષો કાઢ્યા, અને બીજી તરફ, કોંગ્રેસ પાર્ટી જેણે 12 લાખ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે.” હું અહીં તમને કહેવા આવ્યો છું કે કર્ણાટકમાં ભાજપ-જેડીએસ ગઠબંધન રાજ્યની તમામ 28 (લોકસભા) બેઠકો જીતશે અને કોંગ્રેસને અહીં ખાતું ખોલવા નહીં દે
અમિત શાહે ત્રણ દિવસમાં બે વાર કર્ણાટકનો પ્રવાસ કર્યો છે કાર્યકર્તાઓને સંબોધન કરી ઉત્સાહીત કર્યા છે. કર્ણાટકમાં સામાન્ય ચૂંટણી બે તબક્કામાં 26 એપ્રિલ અને 7 મેના રોજ 28 બેઠકો માટે યોજાશે.