Thursday, April 25, 2024
Homeમહારાષ્ટ્ર : 16 મજૂરોની ઔરંગાબાદ પાસે માલગાડીથી કપાઈને મોત; CM શિવરાજે મૃતકોના...
Array

મહારાષ્ટ્ર : 16 મજૂરોની ઔરંગાબાદ પાસે માલગાડીથી કપાઈને મોત; CM શિવરાજે મૃતકોના પરિવારને 5 લાખ વળતર આપવાની જાહેરાત કરી

- Advertisement -

ઔરંગાબાદ. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રેલવે ટ્રેક પર 16 પ્રવાસી મજૂરો માલગાડીમાં આવી જતા મોત થયા છે. તમામ મજૂર મધ્યપ્રદેશ જઈ રહ્યા હતા. દુર્ઘટના  ઔરંગાબાદની પાસે આવેલા કરમાડ સ્ટેશન પાસે બની હતી. ઘટના એ વખતે બની જ્યારે મજૂર રેલવે ટ્રેક પાસે સૂઈ રહ્યા હતા. બે લોકો ઘાયલ થયા છે.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મૃતક મજૂરોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાને વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે રેલવે મંત્રી સાથે વાત કરીને ઘાયલની સહાયતા કરવા માટે કહ્યું છે.

વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રેલવે અકસ્માતને કારણે  થયેલા મજૂરોના મોત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે રેલવે પ્રધાન પિયુષ ગોયલ સાથે વાત કરી છે અને તે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular