ઔરંગાબાદ. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રેલવે ટ્રેક પર 16 પ્રવાસી મજૂરો માલગાડીમાં આવી જતા મોત થયા છે. તમામ મજૂર મધ્યપ્રદેશ જઈ રહ્યા હતા. દુર્ઘટના ઔરંગાબાદની પાસે આવેલા કરમાડ સ્ટેશન પાસે બની હતી. ઘટના એ વખતે બની જ્યારે મજૂર રેલવે ટ્રેક પાસે સૂઈ રહ્યા હતા. બે લોકો ઘાયલ થયા છે.
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મૃતક મજૂરોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાને વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે રેલવે મંત્રી સાથે વાત કરીને ઘાયલની સહાયતા કરવા માટે કહ્યું છે.
औरंगाबाद में हुए रेल हादसे से हृदय पर ऐसा कुठाराघात हुआ है की मैं उसे शब्दों में व्यक्त नहीं कर सकता! संवेदना से मन भर जाता है…
मैंने रेल मंत्री श्री @PiyushGoyal जी से बात की है और उनसे त्वरित जाँच और उचित व्यवस्था की माँग की है।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) May 8, 2020
વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રેલવે અકસ્માતને કારણે થયેલા મજૂરોના મોત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે રેલવે પ્રધાન પિયુષ ગોયલ સાથે વાત કરી છે અને તે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
Extremely anguished by the loss of lives due to the rail accident in Aurangabad, Maharashtra. Have spoken to Railway Minister Shri Piyush Goyal and he is closely monitoring the situation. All possible assistance required is being provided.
— Narendra Modi (@narendramodi) May 8, 2020