ગાંધીનગર જિલ્લાના ખેડૂતો દ્વારા ઉનાળુ પાકનું વાવેતરના શ્રીગણેશ કરી દેવામાં આવ્યાં છે. તેમાં છેલ્લા ત્રણ વર્ષની ૧.૨૭ લાખ હેક્ટરની સરેરાશ સામે ૫,૭૦૪ હેક્ટરમાં વિવિધ પાકના વાવેતર થઇ જવાથી ટકાવારી ૧૭.૧૬ પર પહોંચી ગઇ છે. ખેતીવાડી શાખાના સુત્રોના જણાવવા પ્રમાણે ખરીફ મોસમના વાવેતરમાં મુખ્ય પાક એવા કપાસનું ૨૧૭૭ હેક્ટર વિસ્તારમાં અને મગફળીનું ૫૬૨ હેક્ટર વિસ્તારમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે.
આ ઉપરાંત વાવેતરની ટકાવારીમાં જેનો સમાવેશ કરવામાં આવતો નથી. તેવા ડાંગરના ધરૃનું વાવેતર ૧૯ હેક્ટર સુધી પહોંચી ગયાનું પણ જણાવવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લામાં ખેડૂતો દ્વારા જે પાકનું વાવેતર વરસાદી દિવસો શરૃ થયાં પહેલાં જ સારા ચોમાસાની આશા સાથે કરી દેવામાં આવ્યું છે. તેમાં મુખ્ય પાક એવા કપાસનું ૨૧૭૭ હેક્ટર વિસ્તારમાં અને મગફળીનું ૫૬૨ હેક્ટર વિસ્તારમાં જ્યારે ઘાસચારાનું ૧૯૨૬ હેક્ટર વિસ્તારમાં અને શાકભાજીનું ૧૦૩૯ હેક્ટર વિસ્તારમાં કરવામાં આવ્યું છે. ડાંગર, બાજરી, જુવાર, મકાઇ, તુવેર, મગ, મઠ, અડદ, તલ, દિવેલા, સોયાબિન, તમાકુ, ગુવાર, કેળ, સરગવો અને બંટીના વાવેતરની શરૃઆત કરવામાં આવી નથી. જિલ્લામાં કુલ ૫૭૦૪ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે. તેની ટકાવારી ૧૭.૧૬ની થાય છે. તેમાં સૌથી વધુ ૬.૮૯ ટકા દહેગામ તાલુકા વિસ્તારમાં, ૪.૩૪ ટકા કલોલ તાલુકા વિસ્તારમાં, ૩.૬૧ ટકા માણસા તાલુકા વિસ્તારમાં અને૨.૩૨ ટકા ગાંધીનગર તાલુકા વિસ્તારનો સમાવેશ થતો હવાનું અધિકારી સુત્રો દ્વારા જણાવવામાં આવ્યુ હતું.