24 કલાકની અંદર ભાજપને ત્રીજો મોટો આંચકો લાગ્યો છે. આસામના તેજપૂરનાં સાંસદ રામપ્રસાદ શર્માએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે.
આ અગાઉ ભાજપના વરિષ્ઠ નેતા દેવી સિંહ ભટ્ટીએ શુક્રવારે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે બીકાનેરથી હાલના એમપી અને કેન્દ્રના પ્રધાન અર્જુન રામ મેઘવાલ ટિકિટ નહીં આપવાનાં લીધે રાજીનામું આપવાની માગણી કરી હતી. બીજી તરફ ગુજરાત ભાજપના નેતા રેશ્મા પટેલે શુક્રવારે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપથી છૂટા થયા પછી પણ તેઓ આ વિસ્તારના લોકો માટે છેલ્લા સમય સુધી કામ ચાલુ રાખશે.