Sunday, May 18, 2025
HomeબોલીવૂડBOLLYWOOD: મોતના 4 વર્ષ બાદ સુશાંત વિશે સામે આવી ચોંકાવનારી વાત,

BOLLYWOOD: મોતના 4 વર્ષ બાદ સુશાંત વિશે સામે આવી ચોંકાવનારી વાત,

- Advertisement -

સુશાંત સિંહ રાજપૂત ભલે આજે આપણી વચ્ચે નથી પરંતુ બોલીવુડના અનેક સિતારા એવા છે જેમની સાથે અભિનેતા ખુબ સંપર્કમાં રહેતો હતો. આવા જ એક અભિનેતા છે મનોજ બાજપેયી. મનોજ બાજપેયીએ હાલમાં જ એક ઈન્ટરવ્યું આપ્યો જેમાં જણાવ્યું કે સુશાંત સિંહ રાજપૂતના મોતના 10 દિવસ પહેલા અભિનેતા સાથે તેમની શું વાત થઈ હતી. તેમણે એ પણ જણાવ્યું કે સુશાંત કઈ વાતથી પરેશાન હતો. ખુબ પરેશાન હતો સુશાંત
મનોજ બાજપેયીએ આ વાતો સિદ્ધાર્થ કનનને આપેલા એક ઈન્ટરવ્યુંમાં કહી. અભિનેતાએ કહ્યું કે, સુશાંત બ્લાઈન્ડ આર્ટિકલ એટલે કે એવા આર્ટિકલ કે જેમાં કોઈ સત્ય હોતું નથી તેવા આર્ટિકલથી ખુબ પરેશાન હતો. તે ખુબ સારો માણસ હતો અને જે સારા હશે તેઓ આ પ્રકારના આર્ટિકલથી પરેશાન હશે. તે હંમેશા મને પૂછતો હતો કે સર હું શું કરું? હું હંમેશા તેને કહેતો હતો કે તેના વિશે આટલું બધુ ન વિચાર્યા કર. છેલ્લી વખત થઈ હતી વાત
મનોજે કહ્યું કે તેમની સુશાંત સાથે છેલ્લી વખત વાત બ્લાઈન્ડ આર્ટિકલ્સ અંગે થઈ હતી. બ્લાઈન્ડ આર્ટિકલ્સ લખનારાઓને પહોંચી વળવાની મારી અલગ રીત છે. જે લોકો આવા આર્ટિકલ છપાવે છે હું તેમના મિત્રોને કહેતો કે મનોજ આવશે તો ખુબ મારશે. મારી આ વાત પર તે ખુબ હસતો હતો. કહેતો હતો કે સર આ તમે જ કરી શકો. તે હંમેશા કહેતો હતો કે સર તમારા હાથનું મટન ખાવું છે. હું કહેતો કે જ્યારે બનાવીશ ત્યારે જરૂર ખવડાવીશ.

10 દિવસ બાદ થયું મોત
અભિનેતાએ વધુમાં કહ્યું કે 10 દિવસ બાદ જ તેનું મોત થઈ ગયું. હું સ્તબ્ધ હતો. હું આજ સુધી બે લોકોના જવા પર વિશ્વાસ કરી શક્યો નથી. સુશાંત અને ઈરફાન ખાન. આ બંને જલદી જતા રહ્યા. તેમનો દોર તો આવવાનો જ હતો. અત્રે જણાવવાનું કે સુશાંતનો દેહ તેના રૂમમાં લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. તેના મોતને લઈને અનેક સવાલોના જવાબ આજ સુધી મળી શક્યા નથી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular