Saturday, April 20, 2024
Homeમહારાષ્ટ્ર : ભુસાવલમાં BJP નેતા, બે પુત્ર અને ભાઇ સહિત 5 લોકોની...
Array

મહારાષ્ટ્ર : ભુસાવલમાં BJP નેતા, બે પુત્ર અને ભાઇ સહિત 5 લોકોની હત્યા,

- Advertisement -

જલગાંવઃ મહારાષ્ટ્રના ભુસાવલમાં રવિવારે ભાજપના નેતા રવિન્દ્ર ખરાત સહિત પાંચ લોકોની અજાણ્યા શખ્સોએ હત્યા કરી છે. હુમલો રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ તેમના ઘર બહાર કરવામાં આવ્યો હતો. જલગાંવ એસપી પંજાબરાવ ઉગાલેએ જણાવ્યું કે, ખરાત, તેમના ભાઈ સુનીલ ખરાત, પુત્ર રોહિત, પ્રેમ સાગર અને તેમના મિત્ર સુમિત ફેડરે પર ઘરની બહાર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં બેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે ત્રણનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

કૌટુંબિક વિવાદમાં હત્યાની શંકા
પોલીસે જણાવ્યા પ્રમાણે હત્યા કરવા માટે હુમલાખોરે બંદૂક અને ચાકુનો ઉપયોગ કર્યો હતો. હત્યા કર્યા બાદ હુમલાખોર ફરાર થઇ ગયા હતા. એસપીએ જણાવ્યું કે, પ્રથમ દ્રષ્ટિએ આ મામલો કૌટુંબિક વિવાદનો લાગી રહ્યો છે. ત્રણ લોકોને અટકાયતમાં લઇને પૂછપરછ કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular