- છેલ્લા 11 દિવસમાંથી રાજ્યમાં દરરોજ 500થી વધુ કેસ નોંધાયા
- અમદાવાદમાં 215, સુરતમાં 172, વડોદરામાં 45, જામનગરમાં 13 કેસ
- રાજકોટમાં 13, ભરૂચમાં 10, પંચમહાલ, સુરેન્દ્રનગર, નર્મદામાં 9-9 કેસ
- અરવલ્લી, ગાંધીનગરમાં 7-7, નવસારીમાં 6, કચ્છ, ગીર-સોમનાથમાં 5-5 કેસ
- વલસાડ, મહેસાણા, ભાવનગરમાં 5-5, જૂનાગઢમાં 4, મહીસાગર 3 કેસ
- ખેડા, છોટાઉદેપુરમાં 3-3, બનાસકાંઠા, સાબરકાંઠા, બોટાદ, દાહોદમાં 1-1 કેસ
અમદાવાદ. રાજ્યમાં કોરોના અટકવાનું નામ લેતો નથી. એક સમયે 300થી 400ની વચ્ચે રાજ્યના કેસ નોંધાતા હતા, પરંતુ છેલ્લા 11 દિવસથી રાજ્યમાં દરરોજ 500થી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 572 કેસ નોંધાયા છે, જ્યારે 25 દર્દીના મૃત્યુ થયા છે, તો 575 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધી નોંધાયેલા કુલ પોઝિટિવ કેસ 29001 થયા છે. મૃત્યુઆંક 1736એ પહોંચ્યો છે, જ્યારે 21096 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.
24 કલાકમાં ક્યાં કેટલા કેસ નોંધાયા
નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 215, સુરતમાં 172, વડોદરામાં 45, જામનગરમાં 13, ભરૂચમાં 10, રાજકોટમાં 13, પંચમહાલમાં 9, સુરેન્દ્રનગર, નર્મદામાં 9-9, અરવલ્લી, ગાંધીનગરમાં 7-7, નવસારીમાં 6, કચ્છમાં 5, ગીર-સોમનાથમાં 5, વલસાડમાં 5, મહેસાણામાં 5, ભાવનગરમાં 5, જૂનાગઢમાં 4, મહીસાગર, ખેડા, છોટાઉદેપુરમાં 3-3, બનાસકાંઠા, સાબરકાંઠા, બોટાદ, દાહોદમાં 1-1 કેસ નોંધાયા છે.
પૂર્વ ડીજીપી એ.આઇ. સૈયદનું કોરોનાને કારણે નિધન
ગુજરાતના પૂર્વ ડીજીપી એ.આઇ. સૈયદનું કોરોનાને કારણે મંગળવારે સાંજે નિધન થયું હતું. તેઓ એપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને તબિયત થોડી ગંભીર થતાં તેઓ વેન્ટિલેટર પર હતા. નિવૃત્તિ બાદ સૈયદ ભાજપ સરકારની ખૂબ નજીક આવ્યા હતા. તેઓ ગુજરાત વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકે પણ રહી ચૂક્યા છે.
છેલ્લા 26 દિવસથી રાજ્યમાં દરરોજ 400થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ
તારીખ | કેસ(કૌંસમાં અમદાવાદના કેસ) |
30 મે | 412(284) |
31 મે | 438 (299) |
1 જૂન | 423(314) |
2 જૂન | 415(279) |
3 જૂન | 485(290) |
4 જૂન | 492(291) |
5 જૂન | 510(324) |
6 જૂન | 498(289) |
7 જૂન | 480(318) |
8 જૂન | 477(346) |
9 જૂન | 470(331) |
10 જૂન | 510(343) |
11 જૂન | 513(330) |
12 જૂન | 495(327) |
13 જૂન | 517 (344) |
14 જૂન | 511(334) |
15 જૂન | 514(327) |
16 જૂન | 524(332) |
17 જૂન | 520(330) |
18 જૂન | 510(317) |
19 જૂન | 540(312) |
20 જૂન | 539 (306) |
21 જૂન | 580(273) |
22 જૂન | 563(314) |
23 જૂન | 549(235) |
24 જૂન | 572(215) |
કુલ 28429 દર્દી, 1,711ના મોત અને 20,521 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)
શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
અમદાવાદ | 19,601 | 1,378 | 14,835 |
સુરત | 3712 | 139 | 2536 |
વડોદરા | 1985 | 47 | 1310 |
ગાંધીનગર | 587 | 25 | 391 |
ભાવનગર | 213 | 13 | 145 |
બનાસકાંઠા | 168 | 8 | 142 |
આણંદ | 167 | 13 | 136 |
અરવલ્લી | 184 | 15 | 144 |
રાજકોટ | 201 | 5 | 104 |
મહેસાણા | 224 | 10 | 134 |
પંચમહાલ | 153 | 15 | 117 |
બોટાદ | 77 | 2 | 66 |
મહીસાગર | 133 | 2 | 110 |
પાટણ | 152 | 14 | 98 |
ખેડા | 126 | 5 | 89 |
સાબરકાંઠા | 156 | 8 | 105 |
જામનગર | 160 | 4 | 71 |
ભરૂચ | 172 | 6 | 77 |
કચ્છ | 122 | 5 | 85 |
દાહોદ | 53 | 0 | 43 |
ગીર-સોમનાથ | 63 | 1 | 47 |
છોટાઉદેપુર | 46 | 2 | 37 |
વલસાડ | 80 | 3 | 48 |
નર્મદા | 68 | 0 | 30 |
દેવભૂમિ દ્વારકા | 20 | 1 | 15 |
જૂનાગઢ | 70 | 1 | 42 |
નવસારી | 59 | 1 | 37 |
પોરબંદર | 14 | 2 | 10 |
સુરેન્દ્રનગર | 104 | 4 | 50 |
મોરબી | 10 | 1 | 5 |
તાપી | 6 | 0 | 5 |
ડાંગ | 4 | 0 | 4 |
અમરેલી | 51 | 5 | 21 |
અન્ય રાજ્ય | 60 | 1 | 8 |
કુલ | 29,001 | 1,736 | 21,096 |