Thursday, March 28, 2024
Homeગુજરાતસુરતના લીંબાયત મહાપ્રભુ નગર પાસે સંચાના ખાતામાં લાગી આગ

સુરતના લીંબાયત મહાપ્રભુ નગર પાસે સંચાના ખાતામાં લાગી આગ

- Advertisement -

સુરતના લીંબાયત મહાપ્રભુનગર પાસે સંચાના ખાતામાં આગ લાગી હતી. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. સુરતના લીંબાયત મહાપ્રભુનગર પાસે સંચાના ખાતામાં આગ લાગી હતી. જેને લઈને અહી અફરાતફરી મચી જવા પામી હતી. આ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.

આગના પગલે મોટી સંખ્યામાં લોકો અકઠાં થયા.
આગના પગલે મોટી સંખ્યામાં લોકો અકઠાં થયા.

ફાયર ઓફિસર મનોજ શુક્લાએ જણાવ્યું કે પ્રભુનગરમાં આગ લાગવાની ઘટનાનો કોલ મળતાની સાથે જ કંટ્રોલરૂમ દ્વારા ડુંભાલ ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. ગણતરીની મિનિટોમાં જ છ ગાડીઓ સાથે ઘટના સ્થળ પર પહોંચતા સંચા ખાતામાંથી ધુમાડો ખૂબ મોટા પ્રમાણમાં નીકળી રહ્યો હતો. જોકે અંદરના ભાગે આગ વધુ પ્રસરી ન હતી. સંચા ખાતામાં જરીના ફિરકા બનાવવામાં આવતા હતા. ખાતામાં આગ લાગવા પાછળનો પ્રાથમિક તારણ શોર્ટ સર્કિટ જણાઈ રહ્યું છે. કોઈ જાનહાનિ થઈ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular