સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સ્ટેટબેંક માં ફરજ બજાવતા બેંક કર્મચારી સરકારી ધારા ધોરણ મુજબ નિવૃત્ત થતાં સાથી કર્મચારીઓ દ્વારા નિવૃત સમારંભ યોજાયો .
પ્રાંતિજ નાની ભાગોળ ખાતે આવેલ સ્ટેટબેંક માં છેલ્લા નવ વર્ષ થી ફરજ બજાવતા રમેશભાઇ મગનભાઈ નાયી કે જેવો હિંમતનગર તાલુકા ના વામોજ ના વતની કે જેવો સરકારી ધારા ધોરણ મુજબ વર્ય મર્યાદા ને લઇને નિવૃત્ત થતાં તેમણી ૩૯ વર્ષ ની નોકરી નિવૃત થતાં તેવો નો વિદાય સમારંભ પ્રસંગે પ્રાંતિજ સ્ટેટબેંક ખાતે યોજાયો હતો જેમાં બેંક કર્મચારીઓ તથા સંગા સંબંધી ઓ સહિત બેક કસ્ટમર સહિત નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
અને નિવૃત્ત થઈ રહેલ રમેશભાઇ મગનભાઈ નાયી ને શુભેચ્છાઓ શુભકામના ઓ પાઠવી હતી તો રમેશભાઇ પોતે એટલા ભાવુક થઇ ગયાં હતાં કે આખાં વિદાય સમારંભ દરમ્યાન તેવો ભાવુક જોવા મળ્યાં હતાં તો સાથે સાથે તેમણો પરિવાર પણ ભાવુક થયો હતો તો આ પ્રસંગે બેંક મેનેજર બેક કર્મચારીઓ તથા સંગા સંબંધી ઓ સહિત બેંક કસ્ટમર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને રમેશભાઇ ને શ્રીફળ , શાલ ઓઢાડીને મોમેન્ટો આપી શુભેચ્છાઓ પાઠવી હતી .
રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા