Saturday, April 20, 2024
Homeવલસાડ નજીક અમદાવાદથી બેંગલોર જતી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત,...
Array

વલસાડ નજીક અમદાવાદથી બેંગલોર જતી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત

- Advertisement -

વહેલી સવારે વલસાડ નજીક નંદાવલા હાઇવે પર અમદાવાદથી બેંગલોર જતી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે, જે પૈકી ટ્રક અને બસના ડ્રાઈવરની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્તોને વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ અને સ્થાનિકોએ સ્થળ પર કામગીરી હાથ ધરી હતી.

ટ્રક અને બસના અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો.
(ટ્રક અને બસના અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો.)

 

ટ્રક સામેથી આવતી બસમાં ઘૂસી ગઈ

મળતી માહિતી પ્રમાણે, વહેલી સવારે અમદાવાદથી બીઆર સર્વિસ નામની ખાનગી ટ્રાવેલ્સની બસ બેંગલોર તરફ જઈ રહી હતી. દરમિયાન વલસાડ નજીક નંદાવલા હાઇવે પર ગુંદલાવ ચોકડીથી પસાર થતા સમયે મુંબઈ તરફથી આઈશર ટ્રક પૂરપાટ ઝડપે આવી રહી હતી. જોકે ટ્રકના ડ્રાઈવરને અચાનક ઝોકું આવી જતાં ટ્રક ડિવાઈડર કુદાવી રોંગ સાઈડમાં સામેથી આવતી ખાનગી બસ સાથે અથડાઈ હતી, જેને પગલે બસ અને ટ્રકમાં સવાર 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. આમાં બસ અને ટ્રકના ડ્રાઈવરની હાલત ગંભીર છે.

108ની મદદથી 20થી વધુ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
(108ની મદદથી 20થી વધુ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.)

 

ટ્રક અને બસમાં ફસાયેલા બંને ડ્રાઈવરને બહાર કઢાયા

અકસ્માતની જાણ થતા આસપાસના ગામના સ્થાનિક લોકો અને પોલીસ દોડી આવી હતી. ટ્રક અને બસમાં ફસાયેલા બંને ડ્રાઈવરને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ 108ની મદદથી તમામ ઈજાગ્રસ્તોને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. સ્થાનિકો દ્વારા પોતાની રિક્ષામાં પણ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત જેટલો જોરદાર હતો કે ટ્રક પલટી મારી ગઈ હતી.
(અકસ્માત જેટલો જોરદાર હતો કે ટ્રક પલટી મારી ગઈ હતી.)

 

અકસ્માત બાદ ટ્રક પલટી મારી ગઈ

વહેલી સવારે સર્જાયેલા ટ્રક અને બસના અકસ્માતનો લઈને મદદે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. અકસ્માત એટલો ધકાડાભેર થયો હતો કે, ટ્રક અને બસનો આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જ્યારે ટ્રક અકસ્માત બાદ પલટી મારી ગયો હતો.

બસ ચાલકે અકસ્માત ન થયા તે માટે પ્રયાસ કર્યો હતો.
(બસ ચાલકે અકસ્માત ન થયા તે માટે પ્રયાસ કર્યો હતો.)

 

બસ ઓવરફૂલ હતી, બસની ગેલેરીમાં પણ લોકો હતાઃ ઈજાગ્રસ્ત

અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા રામસિંગે જણાવ્યું હતું કે, હાઈવે પર આવેલી પ્રિત હોટલ ખાતે સવારનો નાસ્તો કર્યો હતો. ત્યારબાદ 10 મિનિટમાં આ અકસ્માત સર્જાયો હતો. હું તો મારા બાળકો સાથે બેઠો હતો. બસ ઓવરફૂલ હતી, બસની ગેલેરીમાં પણ લોકો હતા. નવરાત્રિના કારણે વતન આવ્યો હતો અને હવે ફરી નોકરી પર જઈ રહ્યો હતો.

ટ્રક અને બસના અકસ્માતનો લઈને મદદે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા.
(ટ્રક અને બસના અકસ્માતનો લઈને મદદે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા.)
સ્થાનિકો દ્વારા પોતાની રિક્ષામાં પણ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
(સ્થાનિકો દ્વારા પોતાની રિક્ષામાં પણ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular