વાસ્તુશાસ્ત્ર અનુસાર કાંટાદાર છોડને ઘરમાં રાખવું અશુભ માનવામાં આવે છે, માનવામાં આવે છે કે જો કાંટાદાર છોડ ઘરમાં રાખવામાં આવે તો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘરમાં રહેતા વ્યક્તિઓએ કેટલીય મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે એક કાંટાદાર છોડ એવો પણ છે જેના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેને ઘરમાં લગાવવાનું સારું માનવામાં આવે છે. જાણો તે કાંટાદાર છોડ કયો છે?
કેક્ટસનો છોડ એવો છે જે ઘરના આંગણામાં હોય તો તમારું ભાગ્ય બદલાઇ જશે. જો દરરોજ સ્નાન કરતા પહેલા કેક્ટસના છોડમાં જળ અર્પણ કરશો તો તમારા અટકી પડેલા કામ પૂરા થઇ જશે.
માનવામાં આવે છે કે કેક્ટસનાના છોડને પાણી આપવાથી વ્યક્તિની અંદરની નકારાત્મક ઉર્જા તે છોડ પોતાની તરફ આકર્ષી લે છે અને વ્યક્તિના જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે.