અમદાવાદ: રથયાત્રા પહેલા અમદાવાદ પોલીસની પરીક્ષા લેવાતી હોય તેમ ફેક કેલના બનાવો વધ્યા છે. નેહરુનગર BRTS બસમાં, નારોલમાં કચરાપેટી બાદ ગઈકાલે રાતે પોલીસ કંટ્રોલ રૂમમાં મેસેજ મળ્યો હતો કે ત્રણ દરવાજા પાસે ફુલગલીમાં યુસુફ પઠાણ નામનો માણસ ISIS સાથે જોડાયેલો છે અને રથયાત્રામાં કંઈક કરશે તેવી સંભાવના છે. મેસેજના પગલે કારંજ પોલીસ તાત્કાલિક ફુલગલીમાં પોહચી યુસુફની તપાસ કરી હતી જો કે એવી કોઈ વ્યક્તિ મળી ન આવતા પોલીસને રાહત થઈ હતી.
ગઈકાલે રાતે 10.15ની આસપાસ પોલીસ કંટ્રોલરૂમમાં મળેલા મેસેજના પગલે કારંજ પોલીસ સહિતનો ફાફલો ફુલગલીમાં જય આસપાસના લોકની યુસુફ પઠાણ નામના યુવકની તપાસ હાથ ધરી હતી. પરંતુ પોલીસને તે નામનો કોઈ શખ્સ મળી આવ્યો ન હતો. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે નંબરની તપાસ કરતા મોબાઈલ નંબર મહંમદઉવેશ સૈયદ (ઉ.વ. 32.રહે. કોઠી મહલ્લા, કારંજ)નો હોવાનું બહાર આવ્યું હતું. કારંજ પોલીસે તેની ઘરેથી જ ધરપકડ કરી લીધી હતી. પોલીસે યુસુફ પઠાણ નામના શખ્સની પૂછપરછ કરતા તેને ન ઓળખતો હોવાનું અને તેબો કોઈ શખ્સ ન હોવાનું બહાર આવ્યું હતું. ભય અને ગભરાહટ માટે આરોપીએ ફોન કર્યો હતો.