Monday, January 13, 2025
Homeઅમદાવાદ : વીએસ બાદ એલજી હોસ્પિટલની ઘોર બેદરકારી, બાળક નીચે પડતા મોત
Array

અમદાવાદ : વીએસ બાદ એલજી હોસ્પિટલની ઘોર બેદરકારી, બાળક નીચે પડતા મોત

- Advertisement -

અમદાવાદમાં એક પછી એક હોસ્પિટલની બેદરકારી સામે આવી રહી છે. જ્યારે વીએસ બાદ હવે મણીનગરની એલજી હોસ્પિટલ (LG Hospital) ની ઘોર બેદરકારીના કારણે હોસ્પિટલમાં એક બાળકનો જન્મતાની સાથે જ મોત થવાનો બનાવ સામે આવ્યો છે.મણીનગરની એલજી હોસ્પિટલના સ્ટાફની બેદરકારીના કારણે એક બાળકનું જન્મતાની સાથે જ મોત થયું છે. પરિવાજનો દ્વારા હોસ્પિટલમાં મહિલાની પ્રસૂતિ થયા બાદ બાળકી નીચે પડી જતા તેનું મોત થયાનો આક્ષેપ કરાયો છે.

પરિવાર હોસ્પિટલમાં નર્સ કે કોઈ મેડિકલ એટેન્ડન્સ સ્ટાફ ન હોવાથી દુર્ઘટના સર્જાઈ હોવાનો આક્ષેપ કરી રહ્યું છે. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. ત્યારે અહીં અનેક સવાલો ઉભા થાય છે.

સળગતા સવાલ:

  • વારંવાર મ્યુનિસિપલ સંચાલિત હોસ્પિટલમાં કેમ આવી ઘટના બને છે?
  • આવી ઘટના બાદ પણ એલ.જી.હોસ્પિટલ તંત્ર ઊંઘી રહ્યું છે?
  • શું હોસ્પિટલની નર્સોની યોગ્ય તાલિમ વિના જ ભરતી કરી દેવાય છે?
  • માતા પર શું વેદના થતી હશે તેનો એલજી તંત્રને ખ્યાલ છે?
  • બેદરકારીના કારણે માતાએ પોતાનું નવજાત બાળક ગૂમાવ્યું તેનું જવાબદાર કોણ ?
  • આવી ગંભીર બેદરકારી ક્યાં સુધી થતી રહેશે?
  • જો આવું રહ્યું તો લોકો મ્યુનિસિપલ સંચાલિત હોસ્પિટલમાં કેવી રીતે વિશ્વાસ કરશે?
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular