છેલ્લા 6 દિવસથી નાણાવટી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં એડમિટ અમિતાભ બચ્ચને તેમના માટે પ્રાર્થના કરી રહેલ લોકોનો આભાર માન્યો છે. તેમણે આભાર માનવા સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ અને બ્લોગ પર પોસ્ટ શેર કરી છે. તેમાં બિગ બીએ એવું પણ જણાવ્યું કે શું કામ તેઓ ધન્યવાદ અને આભાર વ્યક્ત કરવા સિવાય વધારે કઈ કહી શકતા નથી.
T 3596 –
I receive all your blessings and love and prayers for our well being .. on sms, on whatsapp, on insta on Blog .. and all possible social media ..
my gratitude has no bounds ..
Hospital protocol is restrictive, i cannot say more .. Love 🙏❤️— Amitabh Bachchan (@SrBachchan) July 16, 2020
અમિતાભે લખ્યું કે, મને તમારા આશીર્વાદ, પ્રેમ અને પ્રાર્થનાઓ મળી રહી છે. SMS, વોટ્સએપ પર, ઇન્સ્ટાગ્રામ પર, બ્લોગ પર અને દરેક પોસિબલ સોશિયલ મીડિયા પર. મારા આભારની કોઈ લિમિટ નથી. હોસ્પિટલના નિયમો કડક છે. હું વધારે નહીં કહી શકું.
સાડા સાત કલાકમાં બે વખત વિટ્ઠલ ભગવાનનો ફોટો શેર કર્યો
ગુરુવારે અમિતાભ બચ્ચને બે વખત વિટ્ઠલ ભગવાનનો ફોટો શેર કર્યો. બંને ફોટો અંદાજે સાડા સાત કલાકના અંતરમાં શેર કર્યા હતા. પહેલી વખત તેમણે 3:25 વાગ્યે આ ફોટો શેર કરી લખ્યું, ઈશ્વરના ચરણોમાં સમર્પિત.
રાત્રે 10:55 વાગ્યે બિગ બીએ તે જ ફોટો ફરી શેર કરીને ત્વમેવ માતા શ્લોક લખ્યો હતો.
મંગળાવર પછી કોઈ હેલ્થ રિપોર્ટ નથી આવ્યો
હળવા લક્ષણ દેખાયા બાદ શનિવારે (11 જુલાઈ) સાંજે 77 વર્ષીય અમિતાભ અને તેમનો 44 વર્ષીય દીકરો અભિષેક ખુદ ગાડી ચલાવીને નાણાવટી હોસ્પિટલ પહોંચ્યા હતા. બંનેએ તેમના કોવિડ પોઝિટિવ હોવાની વાત સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
છેલ્લે મંગળવારે મીડિયામાં તેમની હેલ્થ અપડેટ વિશે માહિતી આવી હતી. મંગળવારે ન્યૂઝ એજન્સી PTI એ હોસ્પિટલ સાથે સંકળાયેલ સૂત્રોના હવાલે લખ્યું હતું કે, અમિતાભ અને અભિષેકની તબિયત સુધરી રહી છે. પરંતુ તેમને ઓછામાં ઓછા 7 દિવસ સુધી હોસ્પિટલમાં જ રહેવું પડશે.
અમુક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બંનેનો આગામી ટેસ્ટ 5-6 દિવસ પછી થશે. ત્યારબાદ જ તેમની તબિયત વિશે કોઈ માહિતી બહાર આવશે. હોસ્પિટલ ઓથોરિટીએ કોઈ હેલ્થ બુલેટિન રિલીઝ નથી કર્યું અને બિગ બીએ પણ તેમના સ્વાસ્થ્ય અંગેની માહિતી આપી નથી.