અરવલ્લી જિલ્લાના મોડાસાના સાકરીયા ગામે તસ્કરોનો તરખાટ મચાવ્યો છે. તસ્કરોએ ગામના સ્ટેશન પર આવેલી કરિયાણાની દુકાનમાં હાથફેરો કર્યો હતો. રાત્રી દરમિયાન તસ્કરોએ દુકાનના પાછળના ભાગમાંથી પતરું અને પાટિયા તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો.
તસ્કરોએ દુકાનમાંથી રૂપિયા 35 હજારના કરિયાણા સહિત રોકડની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે દુકાનના માલિક આવીને જોતા જ દુકા નો માલસામાન ફેદાયેલો અને કેબિન તૂટેલું દેખતા ચોરી થઈ હોવાનું તેમને માલુમ પડ્યું હતું.
રમેશભાઈ નાનાભાઈ (દુકાન માલિક)
બનાવની જાણ થતાં લોકો એકઠા થયા હતા. સાથે જ ચોરીના બનાવને લઈ પોલીસ પેટ્રોલિંગ વધારવા લોકોએ માંગ કરી છે. ચોરી ના બનાવને લઈ દુકાન માલિકે મોડાસા રૂરલ પોલીસને જાણવાજોગ ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
રિપોર્ટર : ઋતુલ પ્રજાપતિ, CN24NEWSઅરવલ્લી, મોડાસા