જમ્મુ-કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવાનો પ્રસ્તાવ મૂકતાં મોદી સરકારે સોમવારે રાજ્યસભામાં એક ખરડો રજૂ કર્યો હતો. ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં ઠરાવ રજૂ કર્યો. તેમાં જણાવાયું છે કે બંધારણની કલમ 370 ની તમામ કલમો જમ્મુ-કાશ્મીરમાં લાગુ થશે નહીં. રાજ્યસભામાં કોંગ્રેસ સહિતના તમામ વિપક્ષી પાર્ટીઓએ બિલનો વિરોધ કરતા હોબાળો મચાવ્યો હતો અને બેઠકની સામે ધરણા પર બેઠા હતા. આ સાથે પીડીપીના સાંસદ મીર ફૈઝે તેમનો કુર્તાો ફાડી નાખ્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર રાજ્ય પુનર્ગઠન બિલ 2019 રજૂ કર્યું. ગૃહમંત્રી અમિત શાહે લદ્દાખ માટે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની ઘોષણા કરી હતી જ્યાં ચંદીગઢની જેમ વિધાનસભા નહીં હોય. શાહે રાજ્યસભામાં ઘોષણા કરી કે કાશ્મીર અને જમ્મુ ડિવિઝન એક અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ હશે, જેમાં દિલ્હી અને પુડુચેરી જેવી વિધાનસભા હશે.
ગૃહમંત્રીએ કહ્યું કે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કલમ 370ની બધી કલમો અમલમાં આવશે નહીં.રાજ્યસભામાં પીડીપીના બે સભ્યોએ ભારતીય બંધારણની નકલો ફાડી નાખી, ત્યારબાદ તેમને માર્શલો દ્વારા હાંકી કાઢવામાં આવ્યા. આ સાથે જ રાજ્યસભામાં પીડીપીના સાંસદ મીર ફૈઝે તેમનો કુર્તો ફાડીને વિરોધ નોંધાવ્યો હતો. પીડીપીના સાંસદ નઝીર અહમદ લવાય અને મીર મોહમ્મદ ફૈઝે આકરો વિરોધ કર્યો હતો.
કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓએ સોમવારે કાશ્મીરના મુદ્દે ગૃહમાં હંગામો મચાવ્યો હતો અને આ મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી નિવેદન માંગ્યું હતું. ગૃહની કાર્યવાહી શરૂ થતાની સાથે જ વિરોધી પક્ષોના સભ્યો ગૃહની વચ્ચે આવી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. વિરોધી પક્ષોએ હંગામો મચાવી પીએમ મોદી પાસે નિવેદન માગ્યું હતું. હોબાળો દરમિયાન સભ્યોએ ‘તાનાશાહી નહીં ચાલે’, ‘દાદાગીરી નહીં ચાલે’ જેવા નારા લગાવતા રહ્યા. સ્પીકર ઓમ બિરલાના સભ્યોને શાંત રહેવાની અને તેમની જગ્યાએ બેસવાની અપીલ કરવા છતાં વિપક્ષી પાર્ટીઓ દ્વારા હોબાળો મચાવ્યો હતો.