અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ APMC ખાતે ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાના બેઠક યોજાઈ હતી. આગામી 17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજકુમાર ચાહર ગુજરાતમાં બનાસકાંઠાના લાખણી તાલુકામાં પધારવાના હોઈ જેમાં વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ પ્રગતિશીલ ખેડૂતો તથા પશુપાલકોનું સન્માન સમારોહ આયોજન કરવા માટે આગામી તૈયારીઓને લઈ ઇકબાલગઢ ખાતે અમીરગઢ તાલુકાની કિસાન મોર્ચાની બેઠક બોલાવી હતી.
બેઠકમાં મેઘરાજભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, માન્ય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મ દિવસ 17 તારીખે હોઈ એ દિવસે આપણા બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં મહાસંમેલન છે. આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ રાજકુમાર ચાહરજી પધારવા છે, તે મિટિંગના આયોજનના ભાગ રૂપે ઇકબાલગઢ ખાતે અમીરગઢ તાલુકાની કિસાન મોર્ચાની બેઠક બોલાવી હતી. વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે વૃક્ષા રોપણ કાર્યક્રમ હોઈ પ્રગતિશીલ ખેડૂતોનું સામાન્ય હોઈ આબધી આબતોને આવરી લઈ બધા કાર્યકરો જોડાય.