પાકિસ્તાનનાં બે પ્લેન ભારતમાં ઘુસ્યા પછી ભારતનાં ઘણા એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જમ્મુ, શ્રીનગર અને પઠાણકોટનો સમાવેશ થાય છે. અહીથી આવતી જતી બધી ફ્લાઈટ રદ કરવામાં આવી છે.
Airports in Leh, Jammu, Srinagar and Pathankot in high alert. Airspace suspended due to security reason. Many commercial flights on hold. pic.twitter.com/p7T3nw9ObN
— ANI (@ANI) February 27, 2019
પાકિસ્તાની વિમાનને ભારતીય વાયુસીમામા ઉલ્લંગન કર્યું છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરામાં સેક્ટરમાં વિમાન ઘુસ્યું હતું પરંતુ ભારતે જડબાતોડ જવાબ આપતા વિમાન પાછા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જતા રહ્યા. આ વિમાન F16 હોવાના અહેવાલ મળી રહ્યા છે. વિમાન આવ્યા બાદ વાયુસેના હવે હાઈ એલર્ટ પર છે. જમ્મુ કાશ્મીરના એરપોર્ટ પર પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ સમયે એક મોટી ખબર આવી રહી છે મોટી જમ્મુ અને કાશ્મીરમાંથી, જ્યાં વાયુ સેનાના ફાઇટર પ્લેનના તૂટી જવાનાં સમાચાર છે. અહેવાલો અનુસાર, ટેકનિકલ તકલીફોને લીધે પ્લેન ક્રેશ થયું છે. વધુ માહિતી હજી સામે આવી નથી.
પાકિસ્તાન દ્વારા સતત ફાયરિંગના કારણે સરહદ પાર વ્યવસાય બંધ કરવામાં આવ્યો છે. આ વ્યવસાય સલામાબાદ ટ્રેડ સેન્ટરથી ચાલી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં મંગળવારની રાતથી ઘણા વિસ્તારોમાં ફાયરિંગ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે પુલવામા પરના આતંકવાદી હુમલાના 13 મા દિવસે, ભારતની મુખ્ય કાર્યવાહીથી પાકિસ્તાન વિખરાઈ ગયું છે અને ક્રોસ સરહદ પર સતત ફાયરિંગ થઈ રહી છે. બાલાકોટમાં એરસ્ટ્રાઈકના એક દિવસ બાદ બુધવારે સુરક્ષા દળો અને કાશ્મીરના શોપિયામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. સુરક્ષાદળોએ જૈશ-એ-મોહમ્મદ Bના અત્યાર સુધી બે આતંકવાદીઓને માર્યા છે. એવું માનવામાં આવે છે કે ત્યાં રહેણાંક મકાનમાં 2-3 આતંકવાદીઓ છુપાયેલા છે. આ વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયેલા છે તે વિશે માહિતી મેળતા સેનાની 23મી પેરામિલેટ્રી ફોર્સ, સીઆરપીએફ અને એસઓજીએ સંયુક્ત અભીયાન શરૂ કર્યું.