Saturday, May 24, 2025
HomeદેશNATIONAL : ભાજપ 32 લાખ ગરીબ મુસ્લિમોને 'સૌગાત-એ-મોદી' આપશે

NATIONAL : ભાજપ 32 લાખ ગરીબ મુસ્લિમોને ‘સૌગાત-એ-મોદી’ આપશે

- Advertisement -

ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, રમઝાન મહિનાને ધ્યાનમાં રાખીને ભાજપ આગામી સમયમાં 32 લાખ ગરીબ મુસ્લિમોને સૌગાત-એ-મોદી કિટનું વિતરણ કરવાનો છે. ઈદના સમયે કોઈ ગરીબ મુસ્લિમ ઉજવણી કર્યા વગર ન રહે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.

ભાજપના લઘુમતી મોરચાના અધ્યક્ષ જમાલ સિદ્દીકીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં ભાજપ 32 લાખ મુસ્લિમોને મદદ કરવા માટે મોદી કિટનું વિતરણ કરશે. આ માટે ભાજપે સંગઠન સ્તરે કામ કરવાનું શરૂ કરી દીધું છે. ભાજપના 32000 પદાધિકારીઓને 32000 મસ્જિદોનો સંપર્ક સાધવાનું કામ સોંપાયું છે. તેના દ્વારા દરેક અધિકારી 100 ગરીબોને મદદ કરશે. આ રીતે ૩૨ લાખ કિટનું વિતરણ કરવામાં આવશે. ઈદ ઉજવવામાં ગરીબ પરિવારોને કોઈ મુશ્કેલી ન આવે અને તેમને કોઈ અછત ન પડે તેનું પણ વિશેષ ધ્યાન રાખવાનું પદાધિકારીઓને કહેવામાં આવ્યું છે. તેના માટે જ કિટ વહેંચવામાં આવશે.

આ ઉપરાંત મોદીના નેતૃત્ત્વમાં એક વિશેષ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. ટૂંક સમયમાં તેના વિશે પણ માહિતી જાહેર કરવામાં આવશે. સિદ્દીકીએ વધુમાં જણાવ્યું કે, ઈદ, ગુડ ફ્રાઈડે, ઈસ્ટર, નવરોઝ, ભારતીય નવ વર્ષ ને ધ્યાનમાં રાખીને ધાર્મિક એકતા જળવાય અને સામાજિક સૌહાર્દ વધે તે માટે આ પ્રકારના કાર્યક્રમ કરાશે અને લોકોને મદદ પહોંચાડવામાં આવશે. મોદી કિટમાં જરૂરિયાતની વસ્તુઓ, કપડાં, ડ્રાયફ્રુટ, ખજૂર, સેવઈયા અને અન્ય સામગ્રી આપવામાં આવશે. તેમણે કહ્યું કે, ગંગા-જમુની તહજિબને પ્રોત્સાહન અને બળ મળે તે માટે આ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રમઝાનમાં દાનનું મહત્ત્વ વધારે હોવાથી મિસ્કીન, નબળા પાડોશીઓ અને ગરીબ સંબંધીઓની મદદ કરવી જોઈએ. આ વિચારને ધ્યાને રાખીને ભાજપ દ્વારા ગરીબ લઘુમતી સમુદાયોને કિટનું વિતરણ કરવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular