Thursday, January 23, 2025
HomeઅમદાવાદGUJARAT:અમદાવાદ CBSCના વિદ્યાર્થીઓને ખરીદવા પડશે નવા પુસ્તકો

GUJARAT:અમદાવાદ CBSCના વિદ્યાર્થીઓને ખરીદવા પડશે નવા પુસ્તકો

- Advertisement -

અમદાવાદ: નવા શૈક્ષણિક સત્રમાં વાલીઓના ખિસ્સા પરનો બોજ વધવા જઈ રહ્યો છે. કારણ કે આ વર્ષથી શિક્ષણ થોડું મોંઘું થવા. જો તમારું બાળક CBSE શાળામાં અભ્યાસ કરી રહ્યું છે, તો તેને કોઈપણ જૂનું પુસ્તક કામ લાગશે નહીં. કારણ કે NCERT દ્વારા અભ્યાસક્રમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર 1 એપ્રિલથી શરૂ થતા શૈક્ષણિક સત્રથી અમલમાં મૂકવામાં આવ્યો છે.

તેથી આ વર્ષે તમારે તમારા બાળકો માટે તમામ વિષયોના નવા પુસ્તકો ખરીદવા પડશે.સૂત્રોના જણાવ્યા અનુસાર વર્તમાન શૈક્ષણિક સત્રથી ધોરણ 3 અને 6ના અભ્યાસક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. NCERTએ નવા શૈક્ષણિક સત્ર માટે અભ્યાસક્રમમાં ફેરફાર કર્યો છે. નવા પુસ્તકો અંગેની માહિતી CBSE શાળાઓને મોકલવામાં આવી છે. પ્રિન્સિપાલ નિધિ સિહાગે જણાવ્યું હતું કે, NCERT નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 હેઠળ, શાળા શિક્ષણ માટે NCF 2023 મુજબ શાળાઓ માટે નવા પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે. અભ્યાસક્રમમાં કૌશલ્ય આધારિત વિષયો દાખલ કરવામાં આવશે. અન્ય ધોરણના અભ્યાસક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular