પંપોરમાં ચાલી રહેલી અથડામણમાં એક આતંકીને ઠાર
જમ્મુ-કાશ્મીરનાં પંપોરમાં આતંકીઓ વચ્ચે અથડામણમાં સેનાએ એક આતંકીને ઠાર કર્યો છે જ્યારે કે અન્ય આતંકવાદીને ઝડપી પાડવા માટે સેના દ્વારા સર્ચ ઓપરેશન ઓપરેશન હાથ ધરાયું છે.
જમ્મુ-કાશ્મીર પોલીસે આ ઘટનાની જાણકારી આપતા જણાવ્યુ કે, પંપોરમાં ચાલી રહેલી અથડામણમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે. આ પહેલા પોલીસના એક અધિકારીને આતંકી હુમલામાં જાણકારી આપતા જણાવ્યુ હતુ કે ત્રાલ વિસ્તારમાં પંજબા ગામ અને કાકાપુરા વિસ્તારના વાનપુરામાં આતંકીઓએ ગોળીબારી કરી હતી, જેમાં એકનુ મોત થઇ ગયુ હતુ, અને ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો.
પોલીસે જણાવ્યુ હતુ કે ત્રાલ વિસ્તારમાં પંજવા ગામમાં મોહમ્મદ અયુબ અહંગર નામના એક દુકાનદારને આતંકીઓએ ગોળી મારી દીધી, આનાથી તેનુ મોત થઇ ગયુ હતુ.
પોલીસે જણાવ્યુ કે, બીજી એક ઘટનામાં આતંકીઓએ કાકાપુરા વિસ્તારના વાનપુરામાં એક ટેક્સી ડ્રાઇવર મોહમ્મદ અસલમને ગોળી મારીને ઘાયલ કરી દેવામાં આવ્યો હતો. અસલમના ડાબા હાથમાં ગોળી વાગી છે, અને તેને હૉસ્પીટલ લઇ જવામાં આવ્યો છે.