Friday, March 29, 2024
Homeસુરતમાં કોરોના : પોઝિટિવ કેસનો આંક 138809 પર પહોંચ્યો, મૃત્યુઆંક 2040, કુલ...
Array

સુરતમાં કોરોના : પોઝિટિવ કેસનો આંક 138809 પર પહોંચ્યો, મૃત્યુઆંક 2040, કુલ 131640 દર્દી રિકવર થયા

- Advertisement -

મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 138809 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 2040 થયો છે. ગત રોજ કુલ 631 લોકો કોરોના મુક્ત બનતા સાજા થનારાઓની કુલ સંખ્યા 1,31,640 પર પહોંચી ગઈ છે.

એક્ટિવ કેસમાં પણ સતત ઘટાડો

સુરત શહેર જિલ્લામાં કોરોનાના નવા કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. ગત રોજ શહેર જિલ્લામાં 267 કેસ નોંધાયા હતા. પોઝિટિવ કેસમાં ઘટાડાની સામે રિકવર થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેથી એક્ટિવ કેસમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલ શહેર જિલ્લામાં કુલ 5129 એક્ટિવ કેસ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular