સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંક 17,487 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 738 થયો છે. જેની સામે ગત રોજ શહેરમાંથી 284 અને જિલ્લામાંથી 50 મળીને કુલ 334 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જ કરાયેલા લોકોની સંખ્યા 13,655 થઈ છે. હાલ 3094 દર્દીઓ અલગ અલગ જગ્યાએ સારવાર મેળવી રહ્યા છે.
કુલ 34 કોરોનાના દર્દી વેન્ટિલેટર પર
નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં 316 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તે પૈકી 242 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 18 વેન્ટિલેટર, 51 બાઈપેપ અને 173 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 191 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે તે પૈકી 142 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 16 વેન્ટિલેટર, 37 બાઈપેપ અને 89 દર્દીઓ ઓક્સિજન પર છે.