Friday, April 19, 2024
Homeદેશજ્ઞાનવાપી મસ્જિદ પર કોર્ટમાં સુનાવણી પુરી, આવતીકાલે સંભળાવશે નિર્ણય

જ્ઞાનવાપી મસ્જિદ પર કોર્ટમાં સુનાવણી પુરી, આવતીકાલે સંભળાવશે નિર્ણય

- Advertisement -

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ મામલે આજે વારાણસીની જિલ્લા કોર્ટમાં સુનાવણી થઈ હતી. બંને તરફથી દલીલો સાંભળીને કોર્ટે આ નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. આ ચુકાદો આવતી કાલે બપોરે 2 કલાકે આવશે. આગળની રૂપરેખા કેવી હશે, તેના વિશે આવતી કાલે જણાવશે.આપને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે આ મામલો વારાણસી કોર્ટને ટ્રાંસફર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે અદાલતને 8 અઠવાડીયામાં સુનાવણી પુરી કરવાના નિર્દેશ આપ્યા છે.

 

હકીકતમાં વાદી પક્ષ તરફથી જિલ્લા જજની કોર્ટ પાસેથી એ માગ કરવામાં આવી છે કે, સર્વે દરમિયાન સંગ્રહિત કરવામાં આવેલા પુરાવાને કોર્ટ પહેલા જોવે અને બાદમાં કોઈ પણ સુનાવણી કરે. તો વળી પ્રતિવાદી મુસ્લિમ પક્ષ કેસની પોષણીયતા પર જ સુનાવણી કરાવવા માગે છે. જેના પર કોર્ટે કાલની તારીખ સુનાવણી માટે નક્કી કરી છે.આપને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે આ મામલો વારાણસી કોર્ટને ટ્રાંસફર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે આ કેસને 8 અઠવાડીયાની અંદર સુનાવણી પુરી કરવાનો નિર્દેશ આપ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular