- Advertisement -
જળ શક્તિ મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યા બાદ સીઆર પાટીલે કહ્યું કે, “હું માનનીય વડાપ્રધાનનો મારા પર વિશ્વાસ કરવા અને મને આ જવાબદારી આપવા બદલ આભારી છું.”
સીઆર પાટીલે કહ્યું કે, “મારો સંકલ્પ છે કે જળ શક્તિ મંત્રાલય દ્વારા અમે જળ સંરક્ષણ, સ્વચ્છતા અને વ્યવસ્થાપનમાં નવા સીમાચિહ્નો સ્થાપીશું. આ દિશામાં, અમે સામૂહિક પ્રયાસોને પ્રોત્સાહન આપીશું અને નવીનતમ તકનીકોનો ઉપયોગ કરીને જળ સંસાધનોનું સંરક્ષણ કરીશું.”