ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી પાસે આવેલ નર્મદા કેનાલમાંથી ગઈકાલે સાંજે કઠલાલના નારપુરા ગામમા રહેતા ગુલાબસિંહ જયંતિભાઈ રાઠોડ છેલ્લા ત્રણ દિવસથી રત્નાવલી બીજ પાસે આવેલ નર્મદા કેનાલમા આપઘાત કર્યો હતો. તેની લાશ બહિયલના તરવૈયા કાલુભાઈ ખલાફી ની ટીમ કઠલાલ થી દહેગામ તાલુકાની નર્મદા કેનાલમા શોધખોળ આદરતા ગઈ કાલે આ ટીમને આ લાશ દહેગામ તાલુકાના હરસોલી પાસે આવેલ તોતરાય માતાના મંદિર પાસે આવેલ નર્મદા કેનાલમાંથી મળી આવી હતી. અને આ મરનાર દહેગામ તાલુકાના બારીયા ગામનો જમાઈ હતો.
- આ મરનાર યુવક કઠલાલ તાલુકાના નારપુરા ગામનો વતની અને દહેગામના બારીયા ગામનો જમાઈ હતો
- આ વ્યક્તિ ને ત્રણ પુત્ર છે અને કોઈ કારણોસર આત્મહત્યા કરી હતી.
રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર