ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા જાલીયાના મઠ તાલુકા સીટના કોંગ્રેસના ઉમેદવાર ગોડાજી વજાજી ઠાકોરને તેમના મત વિસ્તારમાં જબરજસ્ત લોકચાહના મળી હોવાથી તેમને કોંગ્રેસ પક્ષ તરફથી ફરી તાલુકા સીટની ટીકીટ આપવામાં આવી હતી.
તેમના મત વિસ્તારમાં આજે મોટી સંખ્યામાં વિશાળ જનમેદની સાથે લોકો પ્રચારમાં નીકળી રહ્યા હતા. તેમને તેમના મત વિસ્તારમાં ભાઈઓ, બહેનો, માતાઓ અને યુવાનોનો જબરજસ્ત સાથ સહકાર મળી રહ્યા હતા. કોંગ્રેસ પક્ષ તરફથી આ વિસ્તારમા ઉમેદવારી નોંધાવી હોવાથી તેમની જીત નિશ્ચિત દેખાય છે તેવી મતદારોની કાર્યશૈલી પરથી દેખાઈ આવે છે.
‘જનસેસવા એ પ્રભુસેવા’ તેમનું મુખ્ય સૂત્ર છે. તેમના દ્વારા કહેવામાં આવ્યા હતા કે, મને મારા વિસ્તારમા મેં ફક્ત અને ફક્ત જનસેવાના કાર્યો માટે મારી ઉમેદવારી નોંધાવી છે.
રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24newsહરસોલી, દહેગામ