Friday, March 29, 2024
Homeગુજરાતદાહોદ : 596 ગામોના લોકો કોરોનાથી સુરક્ષિત બન્યા, 100 ટકા રસીકરણની કામગીરી...

દાહોદ : 596 ગામોના લોકો કોરોનાથી સુરક્ષિત બન્યા, 100 ટકા રસીકરણની કામગીરી પૂર્ણ

- Advertisement -

દાહોદ જિલ્લામાં કોરોના રસીકરણ ક્ષેત્રે વધુ એક સિમાચિહ્ન સર કર્યું છે. દાહોદ જિલ્લાના 696 ગામોમાંથી 596 ગામોમા 100 ટકા વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થઇ ચુકી છે. જેથી અહીના ગ્રામજનો કોરોનાથી સુરક્ષિત બન્યા છે.

જિલ્લામાં કોરોના વેક્સિન લેનારાની કુલ ટકાવારી જોઇએ તો 93.98 ટકા થઇ છે. દાહોદ જિલ્લામાં કોરોના વેક્સિન માટે લાયક કુલ 15 લાખ 37 હજાર 737 લોકોમાંથી 14 લાખ 45 હજાર 215 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. જ્યારે 4 લાખ 94 હજાર 021 લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

જિલ્લાનાં જે ગામોમાં કોરોના વેક્સિનની કામગીરી 100 ટકા પૂર્ણ થઇ છે તેની વિગતો જોઇએ તો દાહોદનાં 86, ગરબાડાના 33, ધાનપુરનાં 60, દેવગઢ બારીયાનાં 75 ફતેપુરના 52, લીમખેડાના 81, સીંગવડનાં 65, ઝાલોદનાં 89 સંજેલીના 55 ગામોમાં વેક્સિનને લાયક નાગરિકોને વેક્સિન આપી દેવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular