- Advertisement -
સમગ્ર ગુજરાતમાં કોરોના વાયરસ એ હાહાકાર મચાવ્યો છે ત્યારે સરકાર વિવિધ નિર્ણય લઈ કોરોના ને ડામવા માટેના પ્રયત્નો કરી રહી છે ત્યારે બનાસકાંઠા માં વધતા કેસો ની ધ્યાન માં રાખી દિયોદર માં નાઈ સમાજ એસોસિએશન દ્વારા ચાર વાગ્યા બાદ દુકાનો બંદ રાખવા નો નિર્ણય લીધો છે.દિયોદર ના નાઈ સમાજ હેર સ્ટાઇલ ચલાવતા તમામ એક સંપ થઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે દિયોદર માં સાત વાગ્ય થી ચાર વાગ્યા સુધી જ હેર સલૂન ની દુકાનો ચાલુ રહશે ચાર વાગ્યા બાદ હેર સલૂન ની દુકાનો બંદ રહશે તેવું હેર સલૂન એસોસિયેશન ના પ્રમુખ સોમાભાઈ વાલાભાઈ નાઈ જણાવ્યું હતું. સૌ હેર સલૂન માં કામ કરતા તમામ ને આ નિર્ણય માં સહકાર આપવા વિનંતી કરી છે.ખરેખર આ મહામારી યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો છે… જોકે આ નિર્ણય અનિશ્ચિત મુદત પર આ નિર્ણય લેવાયો છે….
અહેવાલ : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા