Saturday, April 20, 2024
Homeદિલ્હીમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા : ગૃહ પ્રધાન અમિત શાહની રાજ્યપાલ બૈજલ અને...
Array

દિલ્હીમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા : ગૃહ પ્રધાન અમિત શાહની રાજ્યપાલ બૈજલ અને મુખ્યમંત્રી કેજરીવાલ સાથે ચર્ચા, 13 દિવસમાં કેસ બમણા

- Advertisement -

નવી દિલ્હી. દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. આ સ્થિતિને જોતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીના રાજ્યપાલ અનિલ બૈજલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે ચર્ચા વિચારણા કરી રહ્યા છે. આ બેઠકમાં આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધન, એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયા અને દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પણ ઉપસ્થિત છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે કોરોનાને લીધે ઉદભવેલી સ્થિતિ અંગે સમીક્ષા બેઠક કરી હતી. તેમા શાહ, ડો.હર્ષવર્ધન, પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ, ICMRના ડિરેક્ટર તથા એમ્પાવર્ડ ગ્રુપના સભ્યોએ પણ ભાગ લીધો હતો. બેઠક બાદ PMOએ કહ્યું કે દેશમાં કોરોનાના બે તૃત્યાંશ કેસ 5 રાજ્યમાં છે. મોટા શહેરોમાં વધારે સંક્રમણ ફેલાઈ રહ્યું છે.

આ મહિનાના 13 દિવસમાં કેસ બમણા થયા
દિલ્હીમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. 30 મેના રોજ રાજધાનીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 18 હજાર 549 હતી, જે 13 જૂનના રોજ 38 હજાર 958 પર પહોંચી છે. અહીં અત્યાર સુધીમાં 14 હજાર 945 દર્દીને સારું થઈ ગયું છે, જ્યારે 22 હજાર 742 દર્દીનો ઈલાજ ચાલી રહ્યો છે. 1,271 લોકોના મોત થયા છે. અહીં દરરોજ 5-5.5 હજાર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

દિલ્હીના નર્સિંગ હોમ્સમાં કોરોનાની સારવાર કરવા આદેશ અપાયો
દિલ્હીમાં શનિવારે 2,134 કેસ મળ્યા. સતત બીજા દિવસે દિલ્હીમાં કોરોનાના 2,000થી વધારે કેસ આવ્યા છે. કેજરીવાલ સરકારે 10થી 49 બેડ સુધીની ક્ષમતાવાળા તમામ નર્સિંગ હોમને કોવિડ ડેડિકેટેડ જાહેર કરી છે. તેના સંચાલકોને કહેવામાં આવ્યું છે કે તેઓ 3 દિવસમાં તેમની તમામ બેડ કોરોના દર્દીઓની સારવાર માટે શરૂ કરે. આ આદેશનું પાલન નહીં કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે ટીકા કરી
સુપ્રીમ કોર્ટે કોરોનાના દર્દીની સારવારમાં જે બેદરકારી દાખવવામાં આવી રહી છે તેમ જ મૃતદેહોને લઈ જે કાર્ય પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે તેને લઈ શુક્રવારે આકરી ટીકા કરી હતી. કોર્ટે દિલ્હી સરકારની ટીકા કરતા કહ્યું કે જો મૃતદેહો કચરાના ઢગલામાંથી મળી રહ્યો હોય તો માનવી સાથે જાનવરથી પણ ખરાબ વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં તો ડર ઉપજાવે તેવી સ્થિતિ પ્રવર્તિ રહી છે. દેશની રાજધાનીમાં જે રીતે કોરોનાનો સામનો કરવામાં આવી રહ્યો છે તેમાં કેટલીક અડચણો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular