નવીદિલ્હી, તા. 2
દિલ્હીમાં ફાટી નીકળેલી હિંસાથી નારાજ બાંગ્લા ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી સુભદ્રા મુખરજીએ બીજેપી છોડવાની જાહેરાત કરી દીધી છે.
સુભદ્રા મુખરજીએ 2013 માં બીજેપી જોઈન કર્યુ હતું. સુભદ્રાએ પોતાનું રાજીનામુ બંગાળ બીજેપી અધ્યક્ષ દિલીપ ઘોષને મોકલી આપ્યું છે. જો કે પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે તેઓ એક વખત પોતાના નિર્ણય પર ફરીથી વિચાર કરશે.
તો મીડિયા સાથે વાત કરતા સુભદ્રા મુખરજીએ કહ્યું કે મેં ખુબ જ આશાઓ સાથે પાર્ટી જોઈન કરી હતી, પરંતુ તાજેતરમાં દિલ્હીમાં થયેલી હિંસા અને ધૃણા જોઈ હું ખુબજ અપસેટ છું. ધર્મના નામ પર ભાઈઓ એક બીજાના કેમ ગળા કાપી રહ્યા છે? હું 40 લોકોનાં મોત બાદ ખુબજ વ્યાકુળ હતી.