દેશમાં આજે મોંઘવારી લોકોને એ હદે સતાવી રહી છે કે આપઘાત કરવા મજબૂર થવું પડે.રાજ્યમાં મોંઘવારીથી ત્રાસેલા લાચાર બાપે એટલે આપઘાત કરવો પડ્યો હતો કે તેની પાસે તેના બાળકની સ્કૂલની ફી ભરવાના પૈસા નહોતા.
અડાજણમાં રહેતા 34 વર્ષીય યુવાન પિતા પોતાના સંતાનની સ્કૂલ ફી નહિ ભરી શકતા પોતાના ઘરમાં ફાંસો ખાઈને જીવન ટુંકાવી લીધું છે.
અડાજણ મહાદેવ નગર કોલોનીમાં રહેતા ધનસુખ રવજીભાઈ રાઠોડ એટલી નાણાંની તંગી અનુભવતા હતા કે ઘર સંસાર ચલાવવાની ખૂબ તકલીફ પડતી હતી. તેઓ બાળકોની સ્કૂલ ફી ભરી શકતા ન હતા કે પોતાની ગાડીના હપ્તા ભરવાની સગવડ કરી શકતા ન હતા.
નાણાંની વ્યવસ્થાની ચિંતામાં ને ચિંતામાં તેઓને કોઈ રસ્તો ન સુઝતા છેવટે તેઓએ આત્મહત્યા જેવું અંતિમ પગલુ ભરી લીધું હતું. છેલ્લા કેટલાય સમયથી મંદીના ભરડામાં આવી ચૂકેલા નાના માણસોની હાલત અંત્યત કફોડી થઈ ગઈ છે. ધનસુખભાઈના આ પગલાંના કારણે તેનો પરિવાર વધુ આકરી સ્થિતિમાં મુકાઈ ગયો છે.