નવી દિલ્હી તા.28
પુર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આઈપીએલથી વાપસી માટે બીજી માર્ચથી ટ્રેનીંગ શરૂ કરી રહ્યો છે ત્યારે ભારતના મહાન ક્રિકેટર કપિલદેવ ધોનીની વાપસીને લઈને બહુ ઉત્સાહીત નથી, તેણે જણાવ્યું હતું કે આ લીગ ભવિષ્યના સિતારાઓ માટે છે એટલે ભારતની ટી20 માટે ધોનીએ કેટલાક વધુ મેચ રમવા પડશે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે વનડે વર્લ્ડકપમાં રમ્યા બાદ ધોનીની કેરિયરને લઈને અટકળોનો દોર ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે ચેન્નાઈ સુપર કીંગ્સ (સીએસકે)ના કેપ્ટન ધોનીને જાન્યુઆરીમાં બીસીસીઆઈની કરારબદ્ધ ખેલાડીઓની યાદીમાંથી બહાર કરવામાં આવ્યો હતો.
કપિલે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે મને લાગે છે કે ધોનીએ પહેલા જ દેશને માટેઘણુ બધું કર્યું છે. તેના પ્રશંસક તરીકે હું તેને ટી20 વર્લ્ડકપમાં જોવા ઈચ્છીશ. પરંતુ ક્રિકેટર તરીકે મને લાગે છે કે આ બધું વ્યવસ્થા પર નિર્ભર રહે છે. તે એકવર્ષથી નથી રમ્યો. તેણે ટીમમાં આવવા માટે વધારે મેચ રમવા જોઈએ. અલગ ખેલાડીઓ માટે અલગ માપદંડ ન જોઈએ.