- Advertisement -
નવી દિલ્હી, તા. 16 જાન્યુઆરી 2020, ગુરુવાર
પ્રજાસત્તાક પર્વ પર આતંકી હુમલાના મોટા ષડ્યંત્રને નિષ્ફળ કરવામાં આવ્યું છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે જૈશ-એ-મોહમ્મદના 5 આતંકીઓની ધરપકડ કરી છે. આ આતંકીઓ પ્રજાસત્તાક દિવસે આત્મઘાતી હુમલો કરવાની યોજના બનાવી રહ્યાં હતા.
ન્યૂઝ એજન્સી મુજબ શ્રીનગર પોલીસે જૈશ-એ-મોહમ્મદના આતંકી મોડ્યૂલ્સનો ભાંડોફોડ્યો છે. ધરપકડ કરવામાં આવેલાં આતંકીઓ 26મી જાન્યુઆરીના રોજ ગ્રેનેડ હુમલો કરવાની ફિરાકમાં હતા.