Friday, May 16, 2025
HomeગુજરાતJUNAGADH : મનપાની બેદરકારીથી આગ ભભૂકી : 3એ જીવ ગુમાવ્યા, 3 ગંભીર

JUNAGADH : મનપાની બેદરકારીથી આગ ભભૂકી : 3એ જીવ ગુમાવ્યા, 3 ગંભીર

- Advertisement -

જૂનાગઢ શહેરના ઝાંઝરડા ચોકડી પર વરસાદી પાણીના નિકાલ માટેના પાઈપ નાખવા માટે મનપાનું જેસીબી ખાડો ખોદતું હતું. જે ખાડો ખોદતા હતા ત્યાં ટોરેન્ટ ગેસની લાઈન હતી. લાઈનમાં બેદરકારીપૂર્વક જેસીબીનું બકેટ મારી દેવામાં આવતાં લાઈન તૂટી ગઈ હતી અને તેમાંથી ગેસ લીકેજ શરૂ થઈ જતાં આગ ફાટી નીકળી હતી. આ આગમાં કુલ છ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી ત્રણનાં કમકમાટીજનક મોત થયા છે અને અન્ય ત્રણ ગંભીર સ્થિતિમાં સારવાર હેઠળ છે. મનપાએ ગેસ કંપનીને જાણ કર્યા વગર આડેધડ કરેલાં ખોદકામના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડયો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular