વડોદરાના મકરપુરા વિસ્તારમાં પોલીસે એક રેસ્ટોરાંમાંથી પાંચ બાળ મજૂરોને છોડાવ્યા હતા.
શહેરમાં રેસ્ટોરાં, હોટલ અને દુકાનોમાં સગીર વયના કિશોરોને રાખી શોષણ કરવામાં આવતું હોવાથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ચેકિંગ કરી સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે.
મકરપુરા બસ ડેપો પાસે માધવ કાઠીયાવાડી રેસ્ટોરન્ટમાં પણ આવી રીતે કેટલાક સગીરો કિશોરોને રાખવામાં આવ્યા હોવાની માહિતી મળતા મહિલા પીઆઇ અને ટીમે દરોડો પાડી પાંચ કિશોરોને છોડાવ્યા હતા.
પોલીસે રેસ્ટોરાંના સંચાલક રીકેશ ભુપતભાઈ રાદડિયા (રિદ્ધિ રેસીડેન્સી,નોવીનો કંપની પાસે,વડોદરા મૂળ જેતપુર રાજકોટ)ની અટકાયત કરી કાર્યવાહી કરી હતી.