દેશના પશ્વિમી ભાગથી દક્ષિણના રાજ્યો સુધી પુરની સ્થિતિ વધી રહી છે. કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 125થી વધુ લોકોના મોતના સમાચારો આવી રહ્યા છે. બચાવ તથા રાહત એજન્સીઓ પ્રમાણે, કેરળમાં ગુરૂવાર સુધી પુરથી સૌથી વધુ 55 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં 27 લોકોના મોતના સમાચારો આવી રહ્યા છે. એટલું જ નહિં, હજી ભારે વરસાદની આગાહી આવી રહી છે તે જાતો કેરળ સરકારે મિલિટ્રી ટીમોને રેસ્ક્યૂ યુનિટ્સ બનાવીને અભિયાન ચલાવવા અને ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવાનો આદેશ આપ્યો છે. આ વચ્ચે કેરળમાં ભૂસ્ખલનમાં દબાયેલા 9 લોકોના શબ કાઢવામાં આવ્યા છે. મલપ્પુરમ જિલ્લામાં 8 ઓગસ્ટે ભૂસ્ખલન થયું હતું.
કર્ણાટક
આ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કર્ણાટક બેલાગાવી જિલ્લામાં પુરની સ્થિતિની જોવા માટે હવાઈ સર્વે માટે પહોંચ્યા છે. કોસ્ટગાર્ડે પોતાના ટ્વિટમાં 3 રાજ્યોમાં ફસાયેલા 2,200 નાગરિકોને બચાવવાની માહિતી આપી છે. કર્ણાટકમાં ઓછામાં ઓછા 24 લોકોનાં મોત થયાં છે અને 9 લોકો ગુમ થયાનાં અહેવાલ છે. રાજ્યમાં 600 રાહત શિબિરો ઉભી કરવામાં આવી છે અને 1,61,000 લોકોને સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. કર્ણાટકના એક અધિકારીએ કહ્યું કે ઉત્તર કર્ણાટક, દરિયાકાંઠાના વિસ્તારો અને પશ્ચિમ ઘાટ સૌથી વધુ અસરગ્રસ્ત છે.
ગુજરાત-મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર અને ગુજરાતની સ્થિતિ પણ ચિંતાજનક છે. પૂરના કારણે મહારાષ્ટ્રમાં 27 અને ગુજરાતમાં 22 લોકોના મોત થયાની નોંધ છે. પૂરને કારણે મહારાષ્ટ્રના ઘણા મહત્વપૂર્ણ માર્ગો બંધ કરાયા છે. આટલું જ નહીં, ગુજરાતમાં પુરને કારણે અમદાવાદ અને નડિયાદમાં 8 લોકોનાં મોત નીપજ્યાં હતાં. જોકે, શનિવારે મહારાષ્ટ્રના સાંગલી અને કોલ્હાપુર જિલ્લામાં પૂરની પરિસ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 8.8 લાખ લોકોનું પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી સ્થળાંતર કરવામાં આવ્યા છે. કોલ્હાપુર, પુના, સોલાપુર, સાતારા અને સાંગલી જિલ્લામાં પરિસ્થિતિ વધુ ચિંતાજનક છે. સૌથી ખરાબ સ્થિતિ કેરળની છે, જ્યાં દો 1.5 લાખ લોકોને તાત્કાલિક રાહત શિબિરમાં ખસેડવામાં આવ્યા છે.
વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે તો આને કારણે લોકોની હાલાકી પણ વધી છે. પરંતુ રાહતની વાત એ છે કે આખા દેશમાં જ્યા જરૂર છે ત્યાં NDRF, સૈન્ય, એરફોર્સ એમ દરેક ટીમે રાહત અને બચાવ કાર્ય માટે કામે લગાડવામાં આવી છે. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં વરસાદને કારણે પરિસ્થિત ઘણી ખરાબ છે. આખું કોલ્હાપુર એક ટાપુમાં પરિવર્તન પામ્યું છે. જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા જેને પગલે NDRFની ટીમે 7500 લોકો કરતા વધુને રેસક્યુ કરીને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. મોટી સંખ્યામાં લોકોને રાહત શિબિરમાં પહોંચાડવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના સાંગલીમાં પૂરના કારણે પરિસ્થિતી ઘણી ખરાબ છે, ઘણા વિસ્તારોમાં રસ્તાઓ ટાપૂ બનતા દેખાઈ રહ્યા છે. સાંગલીમાં એનડીઆરએફ, સેના અને નેવીની ટીમ લોકોના રેસ્ક્યૂમાં લાગી ગઈ છે. વરસાદમાં ફસાયેલા લોકોને સુરક્ષીત જગ્યાએ પહોંચાડવામાં આવી રહ્યા છે.
મધ્યપ્રદેશ
મધ્ય પ્રદેશમાં ભારે વરસાદથી મોટાભાગના જિલ્લાઓ પૂરની લપેટમાં આવ્યા, વિદિશામાં ભારે વરસાદથી ઘણી જગ્યાએ પાણી ભરાયા, વિદિશામાં પૂરના પાણીમાં મંદિર ડૂબ્યુ, તો અમુક વિસ્તારોમાં મંદિરનો માત્ર ઉપરનો ભાગ દેખાઈ રહ્યો છે. જ્યારે પૂરના કારણે બાળકોને સુરક્ષિત જગ્યાઓ પર લઈ જવામાં આવી રહ્યા છે.