અમદાવાદમાં કોરોનાથી એક પૂર્વ કોર્પોરેટરનું મોત થયું છે. બહેરામુરાના કોર્પોરેટર કમરૂદદ્દીન પઠાણના ભાઈ સિરાજુદ્દીનનું કોરોનાના કારણે મોત થયું છે. સિરાજુદ્દીન પઠાણ કોર્પોરેટર રહી ચૂક્યા છે. ઉલ્લખેનીય છે કે, અમદાવાદના બહેરામપુર વિસ્તારમાં કેસનું પ્રમાણ વધુ છે અને તેના કારણે જ આ વિસ્તારમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. તે સિવાય કોર્પોરેટશનમાં પૂર્વ વિપક્ષ નેતા બદરુદ્દિન શેખ પણ કોરોનાના સંક્રમણનો શિકાર બની ચૂક્યા છે. જોકે, હાલમાં બદરુદ્દિન શેખની સારવાર ચાલી રહી છે.
શહેરમાં કોરોનાની સ્થિતિ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે, જો તમારો સાથ અને સહકાર મળતો રહેશે તો આપણે મે મહિનામાં કોરોના પર નિયંત્રણ મેળવી લઈશું. જેના માટે 3 મે સુધી લોકડાઉનનું કડક પાલન કરવું જરૂરી છે. દેશનું પ્રથમ પ્લાઝમા સ્ટડી સેન્ટર SVPમાં શરૂ કરવામાં આવ્યું છે. ગઈકાલથી આજ સુધીમાં 16 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને હવે 51 દર્દી સાજા થયા છે. એક દર્દીનું પ્લાઝમા ટ્રાન્સમિશન થયું છે અને આજે વધુ એક દર્દીને કરવામાં આવશે.