Friday, March 29, 2024
Homeફુટબોલ : પૂર્વ ભારતીય ડિફેન્ડર સત્યજીત ઘોષનું અવસાન થયું.
Array

ફુટબોલ : પૂર્વ ભારતીય ડિફેન્ડર સત્યજીત ઘોષનું અવસાન થયું.

- Advertisement -

ભારતીય ફુટબોલ ટીમ અને મોહન બગન ફુટબોલ ક્લબના ભૂતપૂર્વ ડિફેન્ડર સત્યજીત ઘોષનું સોમવારે વહેલી સવારે કોલકત્તા ખાતે બાંદેલ સ્થિત તેમના નિવાસસ્થાન પર હાર્ટ એટેકથી નિધન થયું હતું. તે 62 વર્ષના હતા. સત્યજીત ઘોષ ના પારિવારિક સૂત્રોએ તેમના નિધનની આ માહિતી આપી હતી. સત્યજીત ઘોષના પરિવારની વાત કરીએ તો તેમના ઘરમાં તેમના પત્ની અને એક પુત્રી છે.

સત્યજીત ઘોષને તેમના ઘરે હ્યદયરોગનો હુમલો આવતા તેમનું નિધન થયું હતું

કૌટુંબિક સૂત્રોએ જણાવ્યું હતું કે, સત્યજીત ઘોષને બાંદેલના દેવાનંદપુરમાં તેમના ઘરે હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને તે ચિન્સુરાહ અસ્તપાલમાં સારવાર માટે જતી વખતે મૃત્યુ પામ્યા હતા. “ભારતીય ફુટબોર સત્યજીત ઘોષે વર્ષ 1985 માં નહેરુ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ભારતનું નામ વિશ્વ કક્ષાએ ગુંજતું કર્યું હતું.”

સત્યજીત ઘોષની ફુટબોલ કારકિર્દી 1980 માં શરૂ થઇ હતી

પુર્વ ભારતીય ફુટબોલર સત્યજીત ઘોષે પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 1980 માં રેલ્વે એફસી થી કરી હતી અને પછીની સીઝનમાં મોહુન બગાનમાં જોડાયો હતો. ભારતની સ્ટાર ડિફેન્ડર સુબ્રત ભટ્ટાચાર્ય સાથે તેની જોડી જોરદાર હતી.

પ્રખર ભટ્ટાચાર્યએ કહ્યું કે, “હું મારી કારકિર્દી દરમિયાન ઘણા ડિફેન્ડર્સ સાથે રમ્યો હતો પરંતુ સત્યજીત સર્વશ્રેષ્ઠ હતો.

સત્યજીત ઘોષની મોહન બગાન ક્લબ સાથે 1986 માં કારકિર્દી શરૂ થઇ હતી

તેઓ તેમના શાનદાર સામનો અને સમય માટે જાણીતા હતા. “મોહુન બગન સાથે સત્યજીત ઘોષની કારકિર્દી 1986 માં સમાપ્ત થઈ અને તે પછી તે મોહમ્મદન સ્પોર્ટિંગમાં જોડાયો. ઘોષ 1989 માં બગન સાથે ફરી જોડાયો અને 1993 માં નિવૃત્ત થાય ત્યાં સુધી તે ટીમ સાથે રહ્યો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular