ગોંડલ નજીક આવેલ સડક પીપળિયા ગામે ભાડેથી ઓફિસ અને ગોડાઉન લઈ પ્રમુખ ટ્રેડીંગ નામની પેઢી શરૂ કરી સ્ટીલ અને સિમેન્ટનો વેપાર શરૂ કરી શાપર-વેરાવળના લોખંડના વેપારી સહિત જુદા જુદા ૮ વેપારીઓ સાથે સબંધો કેળવ્યા બાદ ઉધારીમાં લોખંડના સળિયા ખરીદી ૮ વેપારીઓને ૧૮.૮૪ કરોડનું બુચ મારી ગઠિયો ફ્લેટ, ઓફિસ, અને ગોડાઉન ખાલી કરી ભુગર્ભમાં ઉતરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
રાજકોટના ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર રિલાયન્સ મોલ પાછળ સિલ્વરસ્ટોન શેરી નં. ૩ માં રહેતા અને શાપર-વેરાવળમાં શ્રીનાથજી સ્ટીલ નામની પેઢી ધરાવતા અમિતભાઈ રમેશભાઈ પટેલ (ઉ.વ.૪૭ )નામના વણીક વેપારીએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે મુળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના પીઠડિયા ગામના વતની અને ગોંડલના સડક પીપળિયા ગામે પેઢી ધરાવતા જયરાજ ધનજીભાઈ પીપળિયાનું નામ આપ્યું છે.આ શખ્સેે ૨૦૨૨માં સડક પીપળિયા ગામે પ્રમુખ ટ્રેડીંગ નામની પેઢી શરૂ કરી ઓફિસ ગોડાઉન ભાડે રાખી લોખંડના સળિયાનો વેપાર શરૂ કર્યો હતો .અમિતભાઈ સાથધંધાકીય વાતચીત કરી ઓફિસે મળવા આવ્યો હતો અને ૧૫ દિવસમાં પેમેન્ટ ચુકવી આપશે તેવી ખાતરી આપી શરૂઆતમાં લોખંડના સળિયાની ખરીદી કરી સમયસર પેમેન્ટ આપી દીધું હતું.અને વિશ્વાસ ઉભો કરી લીધો હતો.ત્યાર બાદ તા. ૧૫-૬-૨૪થી તા. ૨-૭-૨૪ દરમિયાન જયરાજ પીપળિયાએ દરરોજ લોખંડના સળિયા મંગાવી કુલ ૧.૪૫.૨૦.૪૩૦નું પેમેન્ટ ચૂકવ્યા વગર ભુગર્ભમાં ઉતરી ગયો હતો. આ શખ્સનો મોબાઈલફોન સ્વીચઓફ આવતા સડક પીપળિયા ગામે આવેલ ઓફિસ અને ગોડાઉને તપાસ કરવા ગયા તો ગોડાઉન અને ઓફિસના માલીક દિવ્યેશભાઈ વીરડાએ જણાવ્યું હતુ ંકે,, બે દિવસ પહેલા જ રાજકોટ ધંધો કરવા જવાનું કહી ગોડાઉન અને ઓફિસ ખાલી કરી જતો રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં આરોપીના ફ્લેટે તપાસ કરતા ફ્લેટ પણ ખાલી કરી દીધો હતો અને મોબાઈલફોન પણ સ્વીચઓફ કરી દીધો હતો.ફરિયાદી ઉધારીમાં માલ લઈ ભુગર્ભમાં ઉતરી ગયેલાગઠિયાની તપાસ કરતા હતા ત્યારે અન્ય વેપારીઓ પણ આ ગઠિયાનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં અમદાવાદ વાળા વિશાલભાઈ રાજેશભાઈ પરીખની શ્રીનાથજી ટ્રેડ કોર્પ. પ્રા.લી.માંથી રૂપિયા ૨.૪૨.૮૬.૮૧૪, ભાવનગર વાળા સમીર સતીષભાઈ અડવાણીની ઓમકાર એન્ટર પ્રાઈઝમાંથી ૨.૯૪.૦૦.૦૦૦, રાજકોટ વાળા ચેતનભાઈ ભરતભાઈ પોપટની બાલાજી ઈસ્પાર્કમાંથી ૫,૩૦,૪૩૦, અંજારના વેપારી હિતેશભાઈ ચિમનભાઈ શાહની મોના સ્ટીલમાંથી ૫.૪૩.૧૨.૯૮૪, તેમજ અંજારના અન્ય વેપારી ગૌરાંગભાઈ ભૂપતભાઈ શાહની જયભારત સ્ટીલમાંથી રૂપિયા ૩.૧૨.૯૮.૫૧૪, ભાવનગરના વેપારી સાંતનુસિંહ ગોહિલની એમજી. સ્ટીલની પેઢીમાંથી ૨.૦૭.૯૮.૨૧૮, અને ચેતનભાઈ ભરતભાઈ પોપટ પાસેથી ૩૭.૪૦.૦૦૦ના લોખંડના સળિયા સહિતની જુદી જુદી ચીજવસ્તુઓ મંગાવી છેતરપીંડી કર્યાનું જાણવા મળ્યું હતું.રાજકોટ સહિત જુદા જુદા ૮ વેપારીઓ પાસેથી ઉધારીમાં લોખંડના સળિયા સહિતની ચીજવસ્તુઓ ૧૮.૮૪ કરોડનું બુચ મારી ભૂગર્ભમાં ઉતરી ગયેલ વેપારી જયરાજ પીઠળિયાએ રાજકોટના આર.કે. ટ્રેડરીંગ વાળા વેપારી દિપકભાઈ પુસવાણીને સસ્તામાં લોખંડનો માલ આપવાનું કહી તેની પાસેથી એડવાન્સમાં ૫૦ લાખ મેળવી તેમને પણ બુચ મારી દીધું હોવાનું જાણવા મળ્યું છે.