- Advertisement -
જગન્નાથજી નગરચર્યાએ, અઢી કિલોમીટરની યાત્રા અંબાજી માં
આજે અષાઠી બીજ, ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં લોકો મોટી સંખ્યામાં ઉમટી રહયા છે. બનાસકાંઠાના અંબાજીમાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા રાધકૃષ્ણ મંદીરથી હજારો ભકતોની હાજરીમાં નીકાળવામાં આવી હતી. આ રથયાત્રાનો રૂટ અઢી કીલોમીટરનો છે. ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા કરાયુ છે.
અંબાજીમાં ભગવાન જગન્નાથજીની વિશાળ રથયાત્રામાં ભાવિક-ભકતો મોટી સંખ્યામાં જોડાયા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાધાકૃષ્ણ મંદીરેથી આરતી કરી નીકળી હતી અને હવે નગરચર્યા કરી રાધાકૃષ્ણ મંદીરેજ યાત્રાનું સમાપન કરાશે.
રિપોર્ટર : મહેશ સેનમા, CN24NEWS, અંબાજી