Friday, May 23, 2025
Homeમદદ : વાવાઝોડાથી પ્રભાવિત ઓડિસાને હોંગકોંગ સરકાર 61 કરોડ રૂપિયા આપશે
Array

મદદ : વાવાઝોડાથી પ્રભાવિત ઓડિસાને હોંગકોંગ સરકાર 61 કરોડ રૂપિયા આપશે

- Advertisement -

બેજિંગ: હોંગકોંગ સરકારે ફૈની વાવાઝોડાથી પ્રભાવિત ઓડિસા માટે 61 કરોડ 60 લાખ 50 હજાર રૂપિયાની મંજૂરી આપી છે. હોંગકોંગના ડીઝાસ્ટર રિલીફ ફંડમાંથી આ રકમ ઓડિસાના 45100 લોકોને મળશે જેઓ વાવાઝોડાનો ભોગ બન્યા છે. આ જાણકારી શુક્રવારે ચીનના મીડિયા દ્વારા જાહેર કરવામાં આવી હતી.

ન્યૂઝ એજન્સી શિન્હુઆએ હોંગકોંગ સરકારના વિશેષ પ્રશાસનિક વિભાગના પ્રવક્તાના કહ્યા પ્રમાણે જણાવ્યુ કે મે મહિનામાં ઓડિસામાં ફૈની વાવાઝોડું ત્રાટક્યું હતું. તેમાં 64 લોકોના મોત થયાં હતા જ્યારે 5 લાખથી વધારે મકાન ધરાશાયી થઇ ગયાં હતા. તેના માટે ત્રણ એજન્સીઓ દ્વારા ઓડિસા માટે 61 કરોડ રૂપિયાનું દાન આપવાની સ્વીકૃતિ સરકારે આપી દીધી છે.

આ પૈસાની મદદથી પીડિતો માટે રસોઇના વાસણ, સાફસફાઇની કિટ, પાણી, શિક્ષા તેમજ ઘર માટે નો સામાન, રહેઠાણ માટેની કિટ જેવી ચીજો ઉપલબ્ધ કરાવવામાં આવશે. હોંગકોંગ સરકારના પ્રવક્તાએ કહ્યું કે આ પૈસાનો યોગ્ય ઉપયોગ થાય એ માટે એજન્સીઓને પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મૂલ્યાંકન રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે જેથી એ ખબર પડે કે કેટલા પૈસા ક્યાં વાપરવામાં આવ્યા છે.

ઓડિસામાં હજુ જનજીવન સામાન્ય નથી

ડિઝની ઇન્ડિયાએ પણ ફૈની વાવાઝોડાના રાહતકોષમાં 2 કરોડ રૂપિયા દાનમાં આપ્યા હતા. અહીં 14 જિલ્લા સૌથી વધારે પ્રભાવિત થયા હતા. લગભગ 11 લાખ લોકોને સુરક્ષિત સ્થાન પર ખસેડાયાં હતા. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી રાહતકોષમાંથી બેઘર થયેલા લોકો નવા મકાનોનું નિર્માણ કરવામાં આવશે. નુકશાન વધારે છે તેથી પરિસ્થિતિ સામાન્ય થતાં હજુ થોડો સમય લાગશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular