રાજકોટ : શહેરમાં ટ્રક ચાલક ગઇકાલે રાતે બાઇકને અડફેટે લઇને ફરાર થઇ ગયો હતો. જેમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું છે. જુના માર્કેટિંગ યાર્ડમાં પેઢી ધરાવતા વેપારી ચંદ્રેશભાઇ પટોરિયાનું આ અકસ્માતમાં મૃત્યું થયું છે. ઘટનાની જાણ થતા આજીડેમ પોલીસ દોડી જઇ મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે, રાજકોટનાં જુના માર્કેટિંગ યાર્ડમાં પેઢી ધરાવતા 42 વર્ષનાં વેપારી ચંદ્રેશભાઇ જેરામભાઇ પટોરિયા ગઇકાલે રાતે તેઓ બાઇક લઇને જતા હતાં. ત્યારે જ આઇસર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી હતી. જે બાદ આઇસર ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. જ્યારે ફરાર આઇસર ચાલકને પણ શોધવાનાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યાં છે.