‘વિદેશમંત્રી એસ જયશંકર ગુજરાતની મુલાકાતે છે. ગઇકાલે સુરતની મુલાકાત બાદ આજે તેમણે રાજકોટની મુલાકાત લીધી. રાજકોટમાં તેમણે પ્રમુખસ્વામી હોલ ખાતે ભારતના વિકાસમાં મહત્વનું યોગદાન આપનારા બૌદ્ધિકો સાથે સંવાદ કર્યો. બૌદ્ધિક સંવાદમાં તાજેતરમાં ભારતે કરેલા વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી.વિદેશમંત્રી એસ જયશંકર ગુજરાતની મુલાકાતે છે. ગઈકાલે સુરતની મુલાકાત બાદ આજે તેમણે રાજકોટની મુલાકાત લીધી. રાજકોટમાં તેમણે પ્રમુખસ્વામી હોલ ખાતે ભારતના વિકાસમાં મહત્વનું યોગદાન આપનારા બૌદ્ધિકો સાથે સંવાદ કર્યો. બૌદ્ધિક સંવાદમાં તાજેતરમાં ભારતે કરેલા વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી.
રાજકોટમાં વિદેશ પ્રધાન એસ જયશંકરે નિવેદન આપ્યુ કે અમૃતકાળમાં ભારત વિકસિત દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે. વિકસીત ભારતને બનાવવા આપણે પરીશ્રમ કરવો પડશે. આપણા શાસકોને સમર્થન આપવું જોઇએ. દુનિયામાં ભારતની છબી બની હોય તો તેમાં ગુજરાતીઓનો ફાળો છે.વિદેશ પ્રધાને જણાવ્યુ કે એવો કોઇ દેશ નથી જ્યાં ગુજરાતી ન વસતા હોય. બે-ત્રણ વર્ષમાં ભારત વિશ્વની ત્રીજા નંબરની ઈકોનોમી બનશે. ભારત સરકાર 80 કરોડ લોકોને રાશન આપે છે.