ગ્રેનેડ વિસ્ફોટ કેસમાં જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોર વિસ્તારમાં લશ્કરે તોયેબા સાથે સંકળાયેલા બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.
ગયા વર્ષે 12 ડિસેમ્બરે ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોર વિસ્તારમાં પોલીસ પોસ્ટ બસ સ્ટેન્ડના ગેટની બહાર ગ્રેનેડ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટમાં ત્રણ લોકો ઘાયલ થયા હતાં. તપાસ દરમિયાન આ વિસ્ફોટમાં નૂર બાહ સોપોરના રહેવાસી મોહંમદ આસીફ નજર અને ગ્રીન ટાઉપ સોપોરના રહેવાસી સાહિલ રાશીદ ભાટની સંડોવણી બહાર આવી હતી.