- Advertisement -
રાજકોટ: શહેરના રેલનગર 2માં રહેતા સુખદેવસિંહ સીદુભા ગોહિલના પુત્ર જયરાજસિંહના લગ્ન રાજકોટમાં જ રહેતા મહેશ્વરીબા સાથે યોજાયા છે. આજે બંને પ્રભુતામાં પગલા માંડે તે પહેલા સવારે આઠ વાગે ગોહિલ પરિવારે રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરી રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન કર્યું હતું. તેમજ મા ભારતીની પૂજા પણ કરી હતી. આ પ્રસંગમાં જાનૈયા અને માંડવીયાઓ જોડાયા હતા. લગ્નના પ્રસંગમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.