દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં થોડો વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 4,272 નવા કેસ નોંધાયા છે, જ્યારે 27 લોકોના મોત થયા છે.આ પહેલા બુધવારે દેશમાં કોરોના સંક્રમણના 3,615 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 22 લોકોના મોત થયા છે. ગઈકાલની સરખામણીમાં નવા સંક્રમિત દર્દીઓની દૈનિક સંખ્યામાં 657 નો વધારો નોંધાયો છે.
આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, 4,474 લોકો કોરોના વાયરસને હરાવવામાં સફળ થયા છે.આ સાથે દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ઘટીને 40 હજાર 750 થઈ ગઈ છે.છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 229 નો ઘટાડો નોંધાયો છે.