સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 હજાર 777 નવા કેસ નોંધાયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને 1.52 ટકા થયો છે. 5196 દર્દી સાજા થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 43 હજાર 994 થઈ છે. કુલ 4 કરોડ 39 લાખ 95 હજાર 610 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 510 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 217 કરોડ 56 લાખ 67 હજાર 942 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 15 લાખ 63 હજાર 151 ડોઝ અપાયા હતા.