Monday, January 13, 2025
Homeગુજરાતઅંબાજી યાત્રામાં આઇસરનો આતંક! પદયાત્રીઓને અડફેટે લઈ તોડ્યા પોલીસ બેરિકેડ,

અંબાજી યાત્રામાં આઇસરનો આતંક! પદયાત્રીઓને અડફેટે લઈ તોડ્યા પોલીસ બેરિકેડ,

- Advertisement -

ભાદરવી પૂનમે અંબાજીના દર્શનાર્થે ઘણાં ભક્તો પદયાત્રા કરતા હોય છે. ગઈકાલે રાત્રે પણ ખેડાથી પદયાત્રીઓ અંબાજી જઈ રહ્યા હતાં, ત્યારે અચાનક આઇસરચાલકે પાછળથી આવીને ચારથી વધુ પદયાત્રીઓને ફંગોળી દીધા હતાં. આઇસરચાલકે ગઈકાલે રાત્રે ફિલ્મી ઢબે રેલિયા પોલીસના બેરિકેડ તોડી પદયાત્રી સિવાય એક બાઇકચાલકને અડફેટે લીધો હતો.

બેરિકેડ તોડીને થઈ રહ્યો હતો ફરાર

બેફામ આઇસર ચલાવનાર ડ્રાઈવરે સૌથી પહેલાં ઉત્કંઠેશ્વર પાસે બાઇકચાલકને અડફેટે લીધો હતો. ત્યારબાદ અંબાજી જતાં ચારથી વધુ પદયાત્રીઓને ટક્કર મારી અને રેલિયા ચેકપોસ્ટે પહોંચતા ફિલ્મી ઢબે પોલીસના બેરિકેડ તોડીને ફરાર થઈ રહ્યો હતો. જોકે, સમગ્ર ઘટનાથી કપડવંજના વાસણાના સ્થાનિકો આ આઇસરચાલકનો પીછો કરી રહ્યા હતાં.

સ્થાનિકોએ પીછો કરી પકડી પાડ્યો

આઇસરચાલકને પકડવા તેનો પીછો કરી રહેલાં સ્થાનિકોએ મોકો મળતાં જ અરવલ્લીના બાયડથી તેને પકડીને પોલીસને સોંપી દીધો હતો. સમગ્ર ઘટના બાદ બાયડ પોલીસે આઇસરચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular