જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ ભારત સરકાર અહીં ચૂંટણીની સંભાવનાઓ શોધી રહી છે. સરકાર એ અંગેની કોશિશ કરી રહી છે કે અહીં જલ્દી ચૂંટણી કરાવી શકે. માનવામાં આવી રહ્યુ છે કે સરકાર ઈચ્છે છે કે આગામી વર્ષે માર્ચ મહિના સુધી ઘાટીમાં ચૂંટણી કરાવી લેવામાં આવે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે આ બાબતે ગૃહ મંત્રાલયે સંકેત આપ્યા છે. મંગળવારે ચૂંટણી પંચે પોતાની પહેલી બેઠક કરી છે. આ દરમિયાન સીમા નિર્ધારણ પર ચર્ચા કરવામાં આવી. વળી, જમ્મુ કાશ્મીરના વિભાજન બાદ ચૂંટણી કરાવવા માટે કઈ વસ્તુઓની જરૂર છે તેના પર પણ ચર્ચા કરવામાં આવી.
જમ્મુ કાશ્મીરમાં માર્ચમાં થઈ શકે ચૂંટણી, પંચે કરી પહેલી બેઠક
તમામ નિયમ અને શરતો પર ચર્ચા
ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યુ કે પંચે આંતરિક ચર્ચા કરી છે જો કે ગૃહ મંત્રાલયથી અધિકૃત સંવાદ આ મામલે હજુ થયો નથી. સરકારમાં વરિષ્ઠ સૂત્રોએ જણાવ્યુ કે ચૂંટણી પંચ સીમા નિર્ધારણનું કામ કરી રહ્યુ છે એટલા માટે તે ગૃહ મંત્રાલયની પણ મદદ લઈ રહ્યુ છે જેનાથી જમ્મુ કાશ્મીર યુનિયન ટેરિટરીમાં ચૂંટણી તરફ પહેલુ પગલુ આગળ વધારી શકાય. આ દરમિયાન એ તમામ વિષયે પર ચર્ચા થઈ જેનાથી ઘાટીમાં પહેલી વાર આર્ટિકલ 370ને હટાવાયા બાદ ચૂંટણી કરાવી શકાય.
જમ્મુ કાશ્મીરમાં માર્ચમાં થઈ શકે ચૂંટણી, પંચે કરી પહેલી બેઠક
કેટલી સીટો પર થશે ચૂંટણી?
સૌથી પહેલા એ વાતને સુનિશ્ચિત કરવામાં આવી રહી છે કે જમ્મુ કાશ્મીર રિક્ગનિશન એક્ટ બાદ અહીં કુલ 114 સીટો હશે જેમાં 24 સીટો એ વિસ્તારો માટે રિઝર્વ હશે જે પીઓકેમાં આવે છે જેનો અર્થ છે કે ચૂંટણી કુલ 90 સીટો પર થશે. તમને જણાવી દઈએ કે જૂની વિધાનસભામાં કુલ 111 સીટો હતી જેમાં 24 સીટો પીઓકે માટે રાખવામાં આવતી હતી જ્યારે ચાર સીટો લદ્દાખ માટે રિઝર્વ હતી. આનો અર્થ છે કે સાત વધુ સીટો વિધાનસભામાં જોડવામાં આવશે. જો કે હજુ સુધી આના પર નિર્ણય નથી લેવામાં આવ્યો કે કયા ભાગમાં આ સીટો જોડવામાં આવશે.
જમ્મુ કાશ્મીરમાં માર્ચમાં થઈ શકે ચૂંટણી, પંચે કરી પહેલી બેઠક
ભારે સુરક્ષા
જમ્મુ કાશ્મીરમાંથી 1947-48માં મોટી સંખ્યામાં લોકો બેઘર થઈ ગયા હતા જેની પાસે મત આપવાનો અધિકાર નથી. માહિતી અનુસાર આવા લોકોની કુલ સંખ્યા લગભગ આઠ લાખ છે કે જે જમ્મુમાં રહે છે. તમને જણાવી દઈએ કે આર્ટિકલ 370 હટાવાયા બાદથી સતત ઘાટીમાં તણાવનો માહોલ છે. કોઈ પણ અનહોનીને પહોંચી વળવા માટે ભારે સંખ્યામાં સુરક્ષાબળોને તૈનાત કરવામાં આવ્યા છે.